જમ્મુ-કાશ્મીરના અનતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર
અનતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહ્યું છે એન્કાઉન્ટર
નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર સેકીપોરા અને બિઝબેહરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. જાણકારી મુજબ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છૂપાયેલા છે જેમને ઠાર મારવા સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાએ આ આતંકવાદીઓને ચારો તરફથી ઘેરી લીદા છે અને ઠાર મારવાની કોશિશ કરવામાં આવી રહી છે. પાછલા કેટલાક દિવસોથી સેનાની આતંકવાદીઓ સાથે સતત અથડામણ ચાલી રહી છે.
અગાઉ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલા દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ ગોળીબારમાં એક નાગરિક ઘાયલ થઈ ગયો હતો. આતંકવાદીઓએ કુલગામના ખુદવાની વિસ્તારમાં સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ નાગરિકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ આતંકીઓ ભાગવામાં કામયાબ થયા હતા. જેને પગલે આતંકવાદીઓને શોધવા માટે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો-જાણો, કરતારપુર કોરિડોરનું મહત્વ અને કેમ શ્રદ્ધાળુઓ દૂરબીનની મદદથી કરે છે દર્શન