સાધ્વી પ્રાચીનું વિવાદત નિવેદ, કહ્યું- બળાત્કાર, નક્સલવાદ, આતંકવાદ નેહરુ ખાનદાનની દેન
સાધ્વી પ્રાચીનું વિવાદત નિવેદ, કહ્યું- બળાત્કાર, નક્સલવાદ, આતંકવાદ નેહરુ ખાનદાનની દેન
નવી દિલ્હીઃ પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી વિશ્વ હિંદૂ પરિષ્દના નેતા સાધ્વી પ્રચાીએ ફરી એકવાર ભડકાઉ નિવેદન આપ્યું છે, મેરઠના એ કાર્યક્રમમાં બોલતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર આ બધું નેહરુ ખાનદાનની દેન છે, તેમણે રાહુલ ગાંધી પર જબરદસ્ત પ્રહાર કર્યો, જણાવી દઈએ કે હૈદરાબાદ અને ઉન્નાવની રેપ ઘટનાઓ બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત રેપ કેપિટલ તરીકે વિકસિત થઈ રહ્યું છે, જે બાદ સાધ્વી પ્રાચીની પ્રતિક્રિયા આવી છે.
બળાત્કાર, આતંકવાદ, નક્સલવાદ નેહરુ ખાનદાનની દેન
સાધ્વી પ્રાચીનો પ્રહાર માત્ર રાહુલ ગાંધી સુધી જ સીમિત ન રહ્યો બલકે તેમણે યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પર પણ હુમલો બોલ્યો, સાધ્વીએ કહ્યું કે અખિલેશ જ્યારે સત્તામાં હોય છે તો બળાત્કારીઓને બચાવે છે અને વિપક્ષમાં હોય છે ત્યારે ધરણા પર બેસે છે, યૂપીના પૂર્વ મુખ્યમંત્રી શનિવારે ઉન્નાવ રેપ કાંડ વિરુદ્ધ વિધાનસભાની બહાર મૌન ધરણા પર બેઠા હતા.
ઉન્નાવના આરોપીઓને પણ ઓન ધી સ્પોટ સજા આપવામાં આવે
જણાવી દઈએ કે અગાઉ પણ ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ સાધ્વીએ કહ્યું હતું કે ઉન્નાવના રાક્ષસોને પણ ઓન ધી સ્પોટ સજા આપવાની જરૂરત છે, યૂપીના બાગપતમાં સાધ્વી પ્રાચીએ કહ્યું હતું કે રાક્ષસોને ચાર રસ્તે જીવતા સળગાવવા જોઈએ, જણાવી દઈએ કે ઉન્નાવ કેસમાં 90 ટકાથી વધુ બળી ચકેલ પીડિતાનું ઈલાન દરમિયાન નિધન થયું છે.
મિની પાકિસ્તાન બની રહ્યું છે પશ્ચિમી યૂપી
અગાઉ પણ સધ્વીનું એક નિવેદનની ટિકા થઈ હતી, પાછલા દિવસોમાં મેરઠમાં થયેલ વકીલની હત્યાને લઈ પરિજનોને મળવા સાધ્વી પ્રાચી મેરઠ પહોંચી હતી. તેમણે હત્યારાઓને જિહાદી જણાવ્યા અને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કમલેશ તિવારીનો હત્યારો હોય કે પછી મેરઠમાં થયેલ વકીલની હત્યાના હત્યારા હોય, તમામ વિશેષ સમુદાયના છે અને બધા જિહાદી છે.
લો બોલો, ગાડીની EMI ભરવા બન્યો ડુંગળી ચોર, 9 લાખની ડુંગળી ચોરી