વિશ્વરૂપમ પર જયલલિતાનો ખુલાસો, કહ્યું હિંસાની હતી આશંકા

જયલલિતાએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારી ફરજ છે કે લો એન્ડ ઓર્ડરનું પાલન કરવું અને રાજ્યમાં શાંતિ બનાવી રાખવી. જો રાજ્ય સરકારે ફિલ્મને રીલિઝ કરવાની પરવાનગી આપી હોત તો મોટા પાયે રાજ્યમાં વિરોધ પ્રદર્શન થતા અને તે હિંસાનું સ્વરુપ ધારણ કરી લેત, જેને રોકવું રાજ્ય સરકારના હાથની બહાર હોત. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફિલ્મને રીલિઝ થવા દીધી નથી.
રાજ્યના ઘણા બધા મુસ્લીમ સમુદાયો ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા, તેઓ ગૃહમંત્રાલયને પણ મળી આવ્યા હતા અને તેમણે એવી ચિમકી પણ આપી હતી કે જો રાજ્યમાં ફિલ્મ રીલિઝ થશે તો મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેના પગલે રાજ્યમાં શાંતિ બનાવી રાખવા રાજ્ય સરકાર પાસે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત અન્ય કોઇ રસ્તો ન્હોતો. જયલલિતાએ એમ પણ જણાવ્યું કે અભિનેતા કમલ હસન પ્રત્યે તેમને વ્યક્તિગત કોઇ દુશ્મની નથી.
જયલલિતાએ એમ જણાવ્યું કે જો અમે ફિલ્મને સુરક્ષા પ્રદાન કરીને પણ રીલિઝ થવાની પરવાનગી આપીએ તો પણ અમારી પાસે 524 થિયેટરોને સુરક્ષા આપવા માટે 56 હજાર પોલીસ મેનપાવરની જરૂરીયાત હતી. જે અમારી પાસે ન્હોતી આવી પરિસ્થિતિમાં અમારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. અને મારુ માનવું છે કે અમારો જે નિર્ણય હતો તે યોગ્ય હતો.
જયલલિતાએ જણાવ્યું કે કમલ હસન સાથે મારે કોઇ દુશ્મનાવટ નથી, તેમણે સંવેદનશીલ મુદ્દા પર ફિલ્મ બનાવી એમાં તેમની ભૂલ છે. જો કમલ હસન અને મુસ્લીમ સમુદાય વચ્ચે સમજુતી થઇ જતી હોય અને તેઓ ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવશે તો ફિલ્મને રાજ્યમાં શાંતિપૂર્ણ રીલિઝ કરવા માટે તેમની સરકારને કોઇ વાંધો નથી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
