વિશ્વરૂપમ પર જયલલિતાનો ખુલાસો, કહ્યું હિંસાની હતી આશંકા

જયલલિતાએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારી ફરજ છે કે લો એન્ડ ઓર્ડરનું પાલન કરવું અને રાજ્યમાં શાંતિ બનાવી રાખવી. જો રાજ્ય સરકારે ફિલ્મને રીલિઝ કરવાની પરવાનગી આપી હોત તો મોટા પાયે રાજ્યમાં વિરોધ પ્રદર્શન થતા અને તે હિંસાનું સ્વરુપ ધારણ કરી લેત, જેને રોકવું રાજ્ય સરકારના હાથની બહાર હોત. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફિલ્મને રીલિઝ થવા દીધી નથી.
રાજ્યના ઘણા બધા મુસ્લીમ સમુદાયો ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા, તેઓ ગૃહમંત્રાલયને પણ મળી આવ્યા હતા અને તેમણે એવી ચિમકી પણ આપી હતી કે જો રાજ્યમાં ફિલ્મ રીલિઝ થશે તો મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેના પગલે રાજ્યમાં શાંતિ બનાવી રાખવા રાજ્ય સરકાર પાસે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત અન્ય કોઇ રસ્તો ન્હોતો. જયલલિતાએ એમ પણ જણાવ્યું કે અભિનેતા કમલ હસન પ્રત્યે તેમને વ્યક્તિગત કોઇ દુશ્મની નથી.
જયલલિતાએ એમ જણાવ્યું કે જો અમે ફિલ્મને સુરક્ષા પ્રદાન કરીને પણ રીલિઝ થવાની પરવાનગી આપીએ તો પણ અમારી પાસે 524 થિયેટરોને સુરક્ષા આપવા માટે 56 હજાર પોલીસ મેનપાવરની જરૂરીયાત હતી. જે અમારી પાસે ન્હોતી આવી પરિસ્થિતિમાં અમારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. અને મારુ માનવું છે કે અમારો જે નિર્ણય હતો તે યોગ્ય હતો.
જયલલિતાએ જણાવ્યું કે કમલ હસન સાથે મારે કોઇ દુશ્મનાવટ નથી, તેમણે સંવેદનશીલ મુદ્દા પર ફિલ્મ બનાવી એમાં તેમની ભૂલ છે. જો કમલ હસન અને મુસ્લીમ સમુદાય વચ્ચે સમજુતી થઇ જતી હોય અને તેઓ ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવશે તો ફિલ્મને રાજ્યમાં શાંતિપૂર્ણ રીલિઝ કરવા માટે તેમની સરકારને કોઇ વાંધો નથી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
