For Daily Alerts
મોદી પર જેડીયૂનો પ્રહાર, 'કેટલાંક ડાઘ ધોવાઇ નથી શકતા'
જેડીયૂ સાંસદ સાબિર અલીએ નરેન્દ્ર મોદી પર અપરોક્ષરીતે નિશાનો સાધતા જણાવ્યું કે કેટલાક ડાઘાઓ ધોવાઇ નથી શકતા. પીએમ પદના ઉમેદવાર માટે સાફસુથરા ઉમેદવારની પસંદગી થવી જરૂરી છે. સાબિર અલીએ ગુજરાતના રમખાણોનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું કે એક વર્ગ મોદીને ક્યારેય માફ કરી શકશે નહી.
તેમણે જણાવ્યું કે કેટલીક એવી વાતો હોય છે જે વ્યક્તિની જિંગગીની સાથે હંમેશા માટે જોડાઇ જાય છે. જેડીયૂ નેતા હરિકિશોર સિંહે પીએમ પદના ઉમેદવાર માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નામનો ઉલ્લેખ કર્યો છે.
આ પહેલા પણ નીતિશ કુમારે મોદીના નામને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. નીતિશ કુમારે તો મોદીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તો ગઠબંધન તૂટી જવાની ધમકી પણ આપી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બીજેપીમાં પીએમ પદની ઉમેદવારી માટે મોદીના નામને લઇને ઘમાસણ સર્જાઇ છે.
Comments
English summary
JDU blast again on modi said some blot do not wash.
Story first published: Thursday, February 7, 2013, 17:42 [IST]