જેટ એરવેઝ ઇન્ટરનેશનલ ફ્લાઈટ 18 એપ્રિલ સુધી કેન્સલ, યાત્રીઓની પરેશાની વધી
આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા જેટ એરવેઝની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા જેટ એરવેઝ ઘ્વારા 18 એપ્રિલ સુધી બધી જ ઇન્ટરનેશનલ ફ્લાઈટ અટકાવી દેવામાં આવી છે.
આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા જેટ એરવેઝની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા જેટ એરવેઝ ઘ્વારા 18 એપ્રિલ સુધી બધી જ ઇન્ટરનેશનલ ફ્લાઈટ અટકાવી દેવામાં આવી છે. જેટ એરવેઝ ઘ્વારા સોમવારે પોતાની બધી જ ઇન્ટરનેશનલ ફ્લાઈટ 18 એપ્રિલ સુધી રોકી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.
જ્યાં જેટ એરવેઝની સ્થિતિ રોજ જ ખરાબ થઇ રહી છે, ત્યાં જ જેટ એરવેઝના મુખ્ય કાર્યકારી અધિકારી વિનય દુબે ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે કંપનીના આવનારા પગલાં વિશે નિર્ણય લેવામાં આવશે, ત્યાં સુધી બધી જ ઇન્ટરનેશનલ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને હજુ સુધી કોઈ ફંડ નથી મળ્યું, જેને કારણે તેમને આ નિર્ણય લેવો પડી રહ્યો છે.
Jet Airways: We have been working with the lenders to secure interim funding for our operations. The interim funding has not been forthcoming thus far, and as a result of this we have extended cancellation of international operations through Thursday, April 18. pic.twitter.com/eCcN2HUJWI
— ANI (@ANI) April 15, 2019
કંપની પાસે એટલા પૈસા નથી કે તેઓ વિમાનો ચાલુ રાખી શકે. કંપની ઓઇલ કંપનીઓના પૈસા ચૂકવી નથી શકતી, જેને કારણે ઓઇલ કંપનીઓ તેમની સપ્લાય રોકી રહ્યા છે.