આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી
નીલરક્તયુક્ત પરીઓની કહાણી (આ શહેરમાં નીલા(બ્લ્યુ) રંગના ઘરો વધારે જોવા મળે છે) સમુ, જોધપુર એ જયપુર પછીનું રાજસ્થાનનું બીજુ સૌથી મોટું રણવાળું શહેર છે. પોતાની અનોખી વિશેષતાના કારણે આ શહેરને બે ઉપનામ 'સન સિટી' અને 'બ્લ્યુ સિટી' આપવામાં આવ્યા છે. 'સન સિટી' નામ જોધપુરના ચમકતો તડકાંના કારણે આપવામાં આવ્યુ છે, જ્યારે બ્લ્યુ સિટી નામ શઙેરના મેહરાનગઢ કિલ્લા આસપાસ સ્થિત નીલા રંગના ઘરોના કારણે આપવામાં આવ્યું છે. જોધપુરને થારનું પ્રવેશ દ્વારના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, કારણ કે, આ શહેર થાર રેગિસ્તાનની સીમા પર સ્થિત છે. આ શહેર 1459 ઇ0માં રાઠોડ પરિવારના નેતા રાવ જોધા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પહેલા, શહેરને મારવાડના નામથી પણ ઓળખવામાં આવતું હતું, પરંતુ વર્તમાન નામ શહેરના સંસ્થાપક, એક રાજપુત મુખિયા રાવ જોધાના નામ પર કરી દેવામાં આવ્યું છે.
જોધપુર આવનારા પર્યટકો મખનિયા લસ્સી, જે દહીં અને ખાંડથી બને છે, જેવી સ્થાનિક વાનગીઓનો સ્વાદ લઇ શકે છે. આ ઉપરાંત માવા કચોરી, પ્યાઝની કચોરી અને મિર્ચી બડા સહિતની અનેક વાનગીઓ પણ પોતાની સુગંધ અને સ્વાદથી ભોજન પ્રેમીઓને લુભાવે છે. જાતીય રાજસ્થાની વાનગીઓ ઉપરાંત પર્યટક સુજાતી ગેટ, સ્ટેશન રોડ, ત્રિપોલિયા બજાર, મોટી બજાર, નવા રસ્તા અને ક્લોક ટાવરના રંગીન બજારમાં સ્થાનિક હસ્તશિલ્પ, કઢાઇ વાળા જૂતા અને ભેટની ખરિદારી પણ કરી શકે છે. આ શહેર ભારતમાં લાલ મિર્ચનો સૌથી મોટા બજારના રૂપમાં પ્રસિદ્ધ છે.
જોધપુર વિભિન્ન તહેવારો, જે આખું વર્ષ આયોજિત કરવામાં આવે છે તેના માટે પણ પ્રસિદ્ધ છે. આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ પતંગ મહોત્સવ શહેરના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવે છે. આ ત્રણ દિવસિય મહોત્સવ દરમિયાન પતંગ ચગાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ-વિદેશના પતંગ રસીકો ભાગ લે છે. આ ઉપરાંત વાયુ સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા છોડવામાં આવેલા પતંગોથી આકાશ રંગીન થઇ જાય છે. પર્યટક મારવાડ તહેવાર મનાવવાનો પણ આનંદ લૂટી શકે છે, જે સપ્ટેમ્બર-ઓક્ટોબરના મહિનામાં આયોજિત કરવામાં આવે છે. આ બે દિવસીય ઉત્સવ રાજસ્થાનના લોક સંગીત અને નૃત્યનો આનંદ લેવાનો અવસર આપે છે. આ ઉપરાંત જોધપુરનો નાગૌર મેળા રાજસ્થાનનો બીજો સૌથી મોટો મવેશિયોનો તહેવાર છે.
જે દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન આયોજિત કરવામા આવે છે. લોકપ્રિયતાની દ્રષ્ટિએ નાગૌરનો મવેશી મેળોના નામથી તે ઓળખાય છે અને લગભગ 70 હજાર બળદો, ઉંટ અને ઘોડાનો મેળામાં વ્યાપાર થાય છે. જાનવરોને આ અવસર માટે ભવ્યતાથી સજાવવામાં આવે છે. ઉંટ દૌડ, બળદ દૌડ, બાજીગર, કઠપુતળીવાલા અને કહાણી સંભળાવનારા આ તહેવારની લોકપ્રિયતાનું આકર્ષણ છે.
સ્થાનિક ભોજન, શોપિંગ અને તેહવારો ઉપરાંત જોધપુર જૂના શાહી કિલ્લાઓ, ખુબસૂરત મહેલો, બગીચા, મંદિરો અને હેરિટેજ હોટલ્સ માટે પણ પ્રસિદ્ધ છે. આ પર્યટક આકર્ષણો ઉપરાંત ઉમ્મેદ ભવન પેલેસ એક ઉલ્લેખનીય સ્મારક છે. આ સુંદર મહેલ ભારત-ઔપનિવેશિક સ્થાપત્ય શૈલી ને કલાનું એક આદર્શ ઉદાહરણ છે. તરાશાયેલા બલુઆ પથ્થરનું આ નિર્માણ ખૂબસૂરત લાગે છે. પર્યટક ઉમ્મેદ ભવન પેલેસ સંગ્રહાલયમાં હવાઇ જહાજના મોડલ, હથિયારો, પ્રાચીન વસ્તુઓ, બોબ ઘડીઓ, બરતનો, કટલરી, પર્વતો, ફોટુઓ અને શિકારની ટ્રોફીઓ જોઇ શકો છો. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આ બ્લ્યુ સિટી એટલે કે નીલરક્તયુક્ત પરીઓની કહાણી સમા શહેર જોધપુરની લટાર મારીએ.

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી

આ શહેર છે નીલરક્ત યુક્ત પરીઓની કહાણી













Click it and Unblock the Notifications
