For Quick Alerts
For Daily Alerts
ચિત્રકૂટના કામતનાથ મંદિરમાં નાસભાગ, 10ના મોત
જાણકારી અનુસાર, કામતનાથ મંદિર એક પહાડી પર સ્થિત છે. આ મંદિરનો રસ્તો ખૂબ જ સાંકળો છે. સોમવતી અમાવસના પગલે મંદિરમાં આજે મોટા સ્તર પર પૂજા કરવા માટે લોકમેદની એકત્રીત થઇ હતી.
ઉલ્લેખનીય બાબત એ છે કે આ દિવસોમાં અહીં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે તે અંગેની જાણકારી પ્રશાસનને પહેલાથી હતી જ. તેમ છતા આ દુર્ઘટના સર્જાઇ. દુર્ઘટના બાદ સરકારે મૃતકોના પરિવારને 2 લાખનું વળતર અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે લગભગ ગયા વર્ષે પણ પ્રદેશના દતિયા દિલ્લાથી લગભગ 60 કિલોમીટર દૂર રતનગઢ સ્થિત મંદિરમાં પણ નવરાત્રિના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 115 લોકોના મોત થઇ ગયા હતા.
English summary
Kamtanath Temple stampede: 10 feared dead, many injured.
Story first published: Monday, August 25, 2014, 9:44 [IST]