12 મેં કર્ણાટક ઈલેક્શન અને 15 મેં દરમિયાન આવશે પરિણામ
મુખ્ય ચુનાવ આયુક્ત ઓપી રાવત ઘ્વારા આજે કર્ણાટક ઈલેક્શન તારીખ વિશે જાહેરાત કરી છે.
મુખ્ય ચુનાવ આયુક્ત ઓપી રાવત ઘ્વારા આજે કર્ણાટક ઈલેક્શન તારીખ વિશે જાહેરાત કરી છે. કર્ણાટકમાં 225 સીટો માટે 12 મેં દરમિયાન ઈલેક્શન થશે અને 15 મેં દરમિયાન તેનું પરિણામ જાહેર થશે. ઈલેક્શન એક ચરણમાં 12 મેં દરમિયાન કરવામાં આવશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ રાખવામાં આવી છે. કર્ણાટકમાં જ્યાં એક તરફ રાહુલ ગાંધીની અગ્નિપરીક્ષા થશે તો બીજી બાજુ અમિત શાહ પોતાનું વિજય અભિયાન ચાલુ રાખવાનો પ્રત્યન કરશે.

56 હજાર બુથ વિવિપેટ ઉપયોગ
ચુનાવ આયોગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કર્ણાટક ના બધા જ 56 હજાર બુથ વિવિપેટ ઉપયોગ કરવામાં આવશે. વિકલાંગ અને મહિલાઓ માટે પોલિંગ બુથ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવશે/ ઈલેક્શન માં ઇકો ફ્રેંડલી મટીરીયલ ઉપયોગમાં લેવાશે.

સિદ્દારમૈયા સરકારનો કાર્યકાલ 28 મેં દરમિયાન પૂરો
225 સદસ્ય ધરાવતી કર્ણાટક વિધાનસભાનો 5 વર્ષનો કાર્યકાલ પૂરો થઇ રહ્યો છે. અહીં 224 સીટો પર ઈલેક્શન થાય છે જયારે એક સીટ એંગ્લો ઇન્ડિયન સમુદાય સદસ્ય માટે રખાય છે. કર્ણાટકમાં બહુમત માટે 113 સીટો જરૂરી છે. રાજ્યની હાલની સરકાર પાસે 123 સદસ્ય છે.

મુખ્યમંત્રી
45 ટકા લોકો ઘ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્દારમૈયા નું સમર્થન કર્યું છે અને સીએમ માટે તેમને પહેલી પસંદ ગણાવ્યા છે. 26 ટકા લોકો ઘ્વારા ભાજપના મુખ્યમંત્રી પદ ઉમેદવાર યુદુરપ્પા ને પસંદ કર્યા છે. મુખ્યમંત્રી સિદ્દારમૈયા ના કાર્યકાલ થી 21 ટકા લોકો ખુશ છે. જયારે 54 ટકા લોકો થોડા અંશે ખુશ છે અને 25 ટકા લોકો સિદ્દારમૈયા સરકાર થી ખુશ નથી.












Click it and Unblock the Notifications
