કર્ણાટકઃ CM યેદિયુરપ્પાના રાજકીય સચિવે કરી આત્મહત્યાની કોશિશ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજકીય સચિવ એનઆર સંતોષે કથિત રીતે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.
બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજકીય સચિવ એનઆર સંતોષે કથિત રીતે ઉંઘની ગોળીઓનુ વધુ માત્રામાં સેવન કરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. જે માહિતી મળી રહી છે તે મુજબ તેમણે બેભાનની સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમની હાલત જોખમથી બહાર જણાવાઈ રહી છે. તેમને બેંગુલુરુની રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ ઘટના બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પા તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા. તેમણે કહ્યુ, 'હું તેમના પરિવારના સભ્યો સાથે વાત કરીશ. મને ખબર નથી કે આની પાછળ શું કારણ છે. તે હવે સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી.' સંતોષ બુરુના ડૉલર્સ સ્થિત પોતાના આવાસ પર હતા. તેમણે ઉંઘની ગોળીઓ ખાઈને જીવ દેવાની કોશિશ કરી. સાંજે ઘરવાળાએ તેમને રીડિંગ હૉલમાં બેભાન અવસ્થામાં જોયા. ત્યારબાદ તેમને બેંગલુરુની રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. જ્યાં તેમની હાલત નાજુક બની હતી.
ઉલ્લેખનીય છે કે સચિવ સંતોષ સીએમ યેદિયુરપ્પાની નજીક ગણાય છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમણે રાજ્યમાં ઑપરેશન કમલમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સંતોષને આ વર્ષે મેમાં યેદિયુરપ્પાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
