કર્ણાટકઃ CM યેદિયુરપ્પાના રાજકીય સચિવે કરી આત્મહત્યાની કોશિશ
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજકીય સચિવ એનઆર સંતોષે કથિત રીતે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.
બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજકીય સચિવ એનઆર સંતોષે કથિત રીતે ઉંઘની ગોળીઓનુ વધુ માત્રામાં સેવન કરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. જે માહિતી મળી રહી છે તે મુજબ તેમણે બેભાનની સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમની હાલત જોખમથી બહાર જણાવાઈ રહી છે. તેમને બેંગુલુરુની રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ ઘટના બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પા તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા. તેમણે કહ્યુ, 'હું તેમના પરિવારના સભ્યો સાથે વાત કરીશ. મને ખબર નથી કે આની પાછળ શું કારણ છે. તે હવે સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી.' સંતોષ બુરુના ડૉલર્સ સ્થિત પોતાના આવાસ પર હતા. તેમણે ઉંઘની ગોળીઓ ખાઈને જીવ દેવાની કોશિશ કરી. સાંજે ઘરવાળાએ તેમને રીડિંગ હૉલમાં બેભાન અવસ્થામાં જોયા. ત્યારબાદ તેમને બેંગલુરુની રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. જ્યાં તેમની હાલત નાજુક બની હતી.
ઉલ્લેખનીય છે કે સચિવ સંતોષ સીએમ યેદિયુરપ્પાની નજીક ગણાય છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમણે રાજ્યમાં ઑપરેશન કમલમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સંતોષને આ વર્ષે મેમાં યેદિયુરપ્પાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
