Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: બીએસ યેદિયુરપ્પા ચોથીવાર બન્યા કર્ણાટકના મુખ્યમંત્રી

Live: બીએસ યેદિયુરપ્પા ચોથીવાર બન્યા કર્ણાટકના મુખ્યમંત્રી

કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ સરકાર પડી ગયા પછી હવે નવી સરકારના ગઠન અંગે ઘણી હલચલ મચી છે. કર્ણાટક ભાજપા અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા આજે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. બીએસ યેદીયુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજે તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને શપથ અપાવવાની માંગ કરશે. સૂત્રો અનુસાર બીએસ યેદીયુરપ્પા આજે જ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શકે છે.

bs yediyurappa

Jul 26, 2019, 8:41 pm IST

યેદિયુરપ્પાએ કહ્યું કે જો જરૂરી હોય તો તેઓ શનિવારે દિલ્હી જઈ અમિત શાહને મળશે અે ફરીથી પોતાની કેબિનેટ બનાવશે.
Jul 26, 2019, 8:41 pm IST

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે સ્ટેટ કેબિનેટ પર ફેસલો તેઓ ભાજપ આલાકમાન સાથે વાતચીત બાદ કરશે.
Jul 26, 2019, 8:38 pm IST

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેમની પાસે વિધાનસભામાં બહુમત છે. તેઓ સોમવારે 29 જુલાઈએ સવારે 10 વાગ્યે જ બહુમત સાબિત કરી દેશે. અને તે બાદ તેઓ ફાયનાન્સ બિલ પાસ કરશે.
Jul 26, 2019, 7:17 pm IST

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા.
Jul 26, 2019, 6:41 pm IST

બીએસ યેદિયુરપ્પાએ સીએમ પદના શપથ લઈ લીધા છે. ખભા પર લીલી શાલ રાખી તેમણે સીએમ પદના શપથ ગ્રહણ કર્યા.
Jul 26, 2019, 6:40 pm IST

કોંગ્રેસમાંથી હકાલી કઢાયેલ ધારાસભ્ય રોશન બેગ પણ યેદિયુરપ્પાના શપથ ગ્રહણમાં સમારોહમાં પહોંચ્યા.
Jul 26, 2019, 6:36 pm IST

ભાજપ પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પા ચોથીવાર કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા માટે રાજભવન પહોંચી ગયા છે.
Jul 26, 2019, 6:36 pm IST

ભાજપના કેટલાય વરિષ્ઠ નેતા પણ રાજભવન પહોંચ્યા છે. જો કે આજે કોઈ મંત્રી શપથ નહિ લે.
Jul 26, 2019, 6:30 pm IST

બીએસ યેદિયુરપ્પા રાજભવન પહોંચ્યા. થોડી વારમાં જ શ્પથ ગ્રહણ શરૂ થશે.
Jul 26, 2019, 12:08 pm IST

બીએસ યેદીયુરપ્પા 31 જુલાઇએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે
Jul 26, 2019, 12:06 pm IST

રાજ્યપાલ સાથે મુલાકાત કરીને બીએસ યેદિયુરપ્પાએ 105 વિધાયકોનું સમર્થન પત્ર સોંપ્યું
Jul 26, 2019, 11:02 am IST

રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા પછી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે સાંજે 6.15 વાગ્યે મુખ્યમંત્રી પદની શપથ લઇશ
Jul 26, 2019, 10:33 am IST

સરકાર પડી ગયા બાદ સતત જેડીએસ, કોંગ્રેસ અને વિપક્ષી દળના નેતા ભાજપ પર હુમલા કરી રહ્યા છે. તમામ નેતા આરોપ લગાવી રહ્યા છે કે ભાજપે ધનબળના દમ પર કર્ણાટકની સરકાર પાડી છે. વળી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે આ લાલચની જીત છે, લોકતંત્રની હાર.
Jul 26, 2019, 10:31 am IST

કુમારસ્વામી સરકાર પાસેથી સમર્થન પાછુ લેનારા ત્રણે બાગી વિધાયકોને વિધાનસભા સ્પીકરે અયોગ્ય ગણાવ્યા હતા
Jul 26, 2019, 10:30 am IST

બીએસ યેદીયુરપ્પા રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા, સરકાર બનાવવાનો દાવો કરશે. મંગળવારે કુમારસ્વામી સરકાર પડી ભાંગી હતી.
Jul 26, 2019, 10:28 am IST

બીએસ યેદીયુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજે તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને શપથ અપાવવાની માંગ કરશે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X