Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કર્ણાટકની રાજનીતિમાં નવો વળાંક, 2 વિધાયકો રાજીનામુ પાછું લેવા તૈયાર

કર્ણાટકની રાજનીતિમાં સતત નવા વળાંક આવી રહ્યા છે જ્યાં શાસક ગઠબંધન કૉંગ્રેસ-જેડીએસ બળવાખોર ધારાસભ્યોને પક્ષમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કર્ણાટકની રાજનીતિમાં સતત નવા વળાંક આવી રહ્યા છે જ્યાં શાસક ગઠબંધન કૉંગ્રેસ-જેડીએસ બળવાખોર ધારાસભ્યોને પક્ષમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જ સમયે, ભાજપ સરકાર રચવા સતત પ્રયત્નો કરી રહી છે. મુખ્યમંત્રી કુમારસ્વામી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર થઇ ગયા છે જ્યારે બીજેપી રાજ્યના વડા યેદીયુરપ્પા ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. તેમને કહ્યું કે તેઓ સોમવાર સુધી રાહ જોઇ રહ્યા છે.

જોડતોડ કરવાની કોશિશ

જોડતોડ કરવાની કોશિશ

બંને તરફથી વિધાયકોને પોતાની તરફ રાખવા માટે જોડતોડ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. એક તરફ જ્યાં, ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર કોંગ્રેસ ધારાસભ્યોને જોડવાની કોશિશ કરી રહ્યા છે જયારે બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા બીએસ. યેદુરપ્પા ઘ્વારા પાર્ટીના વિધાયકો સાથે લંચ કરવામાં આવ્યો છે. બંને પક્ષ ધારાસભ્યો સાથે સરકારની રચના માટે જરૂરી સંખ્યાઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, શનિવારે રાત્રે, સીએમ કુમારસ્વામી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેમણે બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત કરી.

રાજીનામું પાછું ખેંચીશું

રાજીનામું પાછું ખેંચીશું

સિદ્ધારામૈયા સાથે મળીને કૉંગ્રેસના ધારાસભ્ય એમટીબી નાગરાજે કહ્યું હતું કે, "મેં અને સુધાકરએ ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બધા નેતાઓ મને સવારથી પક્ષમાં રહેવાનું કહે છે. મેં પાર્ટીમાં રહેવાનું નક્કી કર્યું છે. અમે સુધાકરને સમજાવવા પ્રયત્ન કરીશું અને અમે બંને રાજીનામું પાછું ખેંચીશું. આ બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા જામીર અહમદ પણ હાજર રહ્યા હતા.

સિદ્ધારમૈયા

મીટિંગ પછી મીડિયા સાથે વાત કરતા, કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા સિદ્ધારમૈયા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રસ્ટ મત મેળવતી વખતે, અમે મોટાભાગના ધારાસભ્યો મેળવીશું. આ બેઠક પછી, મુખ્ય પ્રધાન કુમારસ્વામી બેંગ્લોરમાં પ્રેસ્ટિજ ગોલ્ફશોર ક્લબ પહોંચ્યા. આ રીસોર્ટમાં જેડીએસ ધારાસભ્યોને સ્થગિત કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શહેરના બાહર પર ક્લાર્ક એક્ઝોટીકા કન્વેન્શન રિસોર્ટમાં આશરે 50 ધારાસભ્યો મોકલ્યા છે.

બજારમાં સામાનની જેમ ધારાસભ્યોને ખરીદી રહ્યુ છે ભાજપ

બજારમાં સામાનની જેમ ધારાસભ્યોને ખરીદી રહ્યુ છે ભાજપ

કર્ણાટકમાં ધારાસભ્યોના રાજીનામાથી ઉભુ થયેલ રાજકીય સંકટ અને ગોવાના દસ કોંગ્રેસ ધારાસભ્યોના ભાજપમાં શામેલ થયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યુ છે. શુક્રવારે તેમણે દાવો કર્યો કે, 'નોટબંધી દરમિયાન ભાજપે બેહિસાબ પૈસા મેળવ્યા અને હવે તેનો ઉપયોગ ધારાસભ્યોની ખરીદીમાં કરી રહ્યો છે. સ્થિતિ એ છે કે ધારાસભ્યોને એવી રીતે ખરીદવામાં આવી રહ્યા છે જેમ કે બજારમાં સામાન ખરીદાતો હોય. હું આની કડક નિંદા કરુ છુ.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X