તાંત્રિકોના કહેવા પર કેસીઆરે પાર્ટીનું નામ બદલ્યુ-નિર્મલા સિતારમણ
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તાજેતરમાં પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કે ચંદ્રશેખર રાવે પોતાની પાર્ટીનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ રાખ્યું છે.
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તાજેતરમાં પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કે ચંદ્રશેખર રાવે પોતાની પાર્ટીનું નામ ભારત રાષ્ટ્ર સમિતિ રાખ્યું છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે KCRના આ નિર્ણય પર મોટો હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું છે કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ રાખે છે અને તેમણે તાંત્રિકોના કહેવા પર જ પોતાની પાર્ટીનું નામ બદલ્યું છે.

નિર્મલા સીતારમણે કેસીઆર પર નિશાન સાધતા કહ્યું કે, કેસીઆરે તાંત્રિકોના કહેવા પર સચિવાલય જવાનું બંધ કર્યું અને હવે તેમણે તાંત્રિકોના કહેવા પર જ પોતાની પાર્ટીનું નામ ટીઆરએસથી બદલીને બીઆરએસ કરી દીધું છે. સીતારમણે વધુમાં કહ્યું કે કેસીઆર હવે વિધાનસભાની મુલાકાત પણ લેતા નથી, હવે તેઓ રાષ્ટ્રીય રાજનીતિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કે, ચંદ્રશેખર રાવે બે દિવસ પહેલા પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરી દીધી છે. તેમણે પાર્ટીનું નામ ભારત રાષ્ટ્રીય પાર્ટી રાખ્યું છે. પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરશે. હૈદરાબાદમાં પાર્ટીના મુખ્યાલય તેલંગાણા ભવનમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, એમએલસી અને જિલ્લા સ્તરના સંયોજકો સહિતના નેતાઓની રાજ્ય મહામંડળની બેઠકમાં KCR દ્વારા પક્ષનું નવુ નામ લોન્ચ કરવામાં આવ્યું હતું. કે ચંદ્રશેખર રાવે બેઠકની અધ્યક્ષતા કરી હતી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
