દિલ્હીમાં બુલડોઝર કાર્યવાહી સામે કેજરીવાલ એક્શનમાં, ધારાસભ્યોની બેઠક બોલાવી!
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે 14 મેના રોજ રાજધાનીના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા જારી કરાયેલ બુલડોઝર કાર્યવાહી અંગે સીએમ હાઉસ ખાતે બેઠક બોલાવી છે. AAPના તમા
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે 14 મેના રોજ રાજધાનીના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા જારી કરાયેલ બુલડોઝર કાર્યવાહી અંગે સીએમ હાઉસ ખાતે બેઠક બોલાવી છે. AAPના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ દિલ્હીમાં મહાનગરપાલિકાઓનું અતિક્રમણ વિરોધી અભિયાન ચાલુ છે. આ દરમિયાન તમામ જગ્યાએ અધિકારીઓને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે કાયદેસરના બાંધકામોને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે.
દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપ શાસિત છે. ઉત્તર દિલ્હીનીમાં 20 એપ્રિલે જહાંગીરપુરીમાં અતિક્રમણ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું, જ્યાં થોડા દિવસો પહેલા હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ અભિયાન બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પછી, શાહીન બાગ, ન્યુ ફ્રેન્ડ્સ કોલોની, મંગોલપુરી, કરોલ બાગ, વિષ્ણુ ગાર્ડન, દ્વારકા અને નજફગઢ જેવા વિસ્તારોમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, અગાઉ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજધાની શહેરમાં ભારતીય જનતા પાર્ટી શાસિત ત્રણ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહેલી અતિક્રમણ વિરોધી અભિયાન વિશે પૂછ્યું હતું અને તોડફોડ અટકાવવા વિનંતી કરી હતી. સિસોદિયાએ દાવો કર્યો હતો કે દિલ્હીમાં 63 લાખ મકાનો તોડી પાડવાની યોજના બનાવી છે.
સિસોદિયાએ કહ્યું કે આમાંથી 60 લાખ મકાનો અનધિકૃત કોલોનીઓમાં છે, જ્યારે અન્ય ત્રણ લાખ એવા છે કે જેમની ટેરેસ નિર્ધારિત મર્યાદાની બહાર છે. જાણવા મળ્યું છે કે આ અંગે નોટિસ પણ મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ મોટા પાયે રાજધાનીમાં તોડફોડ કરવા જઈ રહ્યા છે. દિલ્હીની લગભગ 70 ટકા વસ્તી બેઘર થઈ જશે.
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી આ તોડફોડ અભિયાનનો વિરોધ કરે છે અને મેં આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે મેં તેમને પત્ર લખીને કહ્યું છે કે આ તોડફોડ અભિયાન બંધ કરવામાં આવે. જો તમારે બુલડોઝર ચલાવવું હોય તો આવા બાંધકામને મંજૂરી આપવા માટે લાંચ લેનારા ભાજપના નેતાઓ અને નગરપાલિકાના પ્રતિનિધિઓના ઘર પર ચલાવો.