For Quick Alerts
For Daily Alerts
કેજરીવાલ ખુર્શીદ વિરૂદ્ધ આજે મોટો ખુલાસો કરશે
ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો ઇશારો વિકલાંગ વ્યક્તિ રંગી મિસ્ત્રી તરફ છે તેણે આજતકના સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું હતું કે તેણે ખુર્શીદના કેમ્પમાં ઉપકરણો મળ્યા નથી જ્યારે રવિવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ઉપકરણો મળ્યાં છે.
આટલું જ નહી અરવિંદ કેજરીવાલે પડકાર ફેંક્યો છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં તે સલમાન ખુર્શીદની સામે કોઇ વિકલાંગને ચૂંટણી લડાવશે. કોંગ્રેસ અને વડાપ્રધાને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. કેજરીવાલે કહ્યું હતું કે ' સામાન્ય પ્રજા જ આ સરમુખત્યાર સરકારને પાઠ ભણાવશે.' અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસનો પાપનો ઘડો ભરાઇ ગયો છે કારણ કે જનતા સમજી ગઇ છે કે સત્ય શું છે અને જુઠ્ઠું શું છે?
Comments
salman khurshid scam ngo arvind kejriwal iac corruption સલમાન ખુર્શીદ કૌભાંડ એનજીઓ અરવિંદ કેજરીવાલ આઇએસી લાંચ
English summary
India Against Corruption activist Arvind Kejriwal said his organisation will produce fresh evidence against law minister Salman Khurshid,Today at 11 am.
Story first published: Monday, October 15, 2012, 10:22 [IST]