For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ ખુર્શીદ વિરૂદ્ધ આજે મોટો ખુલાસો કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી, 15 ઑક્ટોબર: કાયદા મંત્રી સલમાન ખુર્શીદ દ્રારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સથી અસંતુષ્ટ અરવિંદ કેજરીવાલે સલમાન ખુર્શીદને લલકારતાં કહ્યું છે કે તે પોતાની સત્તાની તાકાત વડે કોઇપણ ગરીબી અને લાચાર માણસ પાસે કંઇ પણ કરાવી શકે છે માટે તે આજે સોમવારે 11 વાગે સલમાન ખુર્શીદ વિરૂદ્ધ વધુ પુરાવા રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો ઇશારો વિકલાંગ વ્યક્તિ રંગી મિસ્ત્રી તરફ છે તેણે આજતકના સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું હતું કે તેણે ખુર્શીદના કેમ્પમાં ઉપકરણો મળ્યા નથી જ્યારે રવિવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ઉપકરણો મળ્યાં છે.

આટલું જ નહી અરવિંદ કેજરીવાલે પડકાર ફેંક્યો છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં તે સલમાન ખુર્શીદની સામે કોઇ વિકલાંગને ચૂંટણી લડાવશે. કોંગ્રેસ અને વડાપ્રધાને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. કેજરીવાલે કહ્યું હતું કે ' સામાન્ય પ્રજા જ આ સરમુખત્યાર સરકારને પાઠ ભણાવશે.' અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસનો પાપનો ઘડો ભરાઇ ગયો છે કારણ કે જનતા સમજી ગઇ છે કે સત્ય શું છે અને જુઠ્ઠું શું છે?

English summary
India Against Corruption activist Arvind Kejriwal said his organisation will produce fresh evidence against law minister Salman Khurshid,Today at 11 am.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X