કેરળમાં 35 ટકા દર્દી ઘરમાંથી થઈ રહ્યા છે સંક્રમિત, આના કારણે વધી રહ્યા છે કેસ
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે ગુરુવારે જણાવ્યુ કે રાજ્યમાં સૌથી વધુ લોકો છે જે કોરોના વાયરસની ચપેટમાં છે.
તિરુવનંતપુરમઃ કોરોનાની ગતિમાં પહેલાની સરખામણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 46 હજારથી નવા કેસ સામે આવ્યા છે. આમાંથી 58 ટકા કેસ એકલા કેરળ રાજ્યમાંથી છે. બાકીના રાજ્યોમાં હજુ પણ કોવિડના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે ગુરુવારે જણાવ્યુ કે રાજ્યમાં સૌથી વધુ લોકો છે જે કોરોના વાયરસની ચપેટમાં છે.

ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યુ કે આઈસીએમઆર સેરોપ્રેવલન્સ સર્વેથી જાણવા મળ્યુ છે કે કેરળની 50 ટકાથી વધુ વસ્તી હજુ પણ અપ્રભાવિત છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં દેશના મુકાબલે અતિસંવેદનશીલ લોકોની સંખ્યા સૌથી વધુ છે. અમે મહત્તમ ટેસ્ટ કરી રહ્યા છે, અમારા ટેસ્ટ પ્રતિ મિલિયન દેશમાં સૌથી વધુ છે. અમે દરેક કેસ વિશે જાણી રહ્યા છે, ટેસ્ટિંગ કરી રહ્યા છે અને રિપોર્ટ કરી રહ્યા છે.
મંત્રી વીના જ્યોર્જે કહ્યુ કે ઘરમાંથી સંક્રમણ થનાર દર્દીઓની ટકા વધી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે રાજ્યના આરોગ્ય વિભાગના એક અભ્યાસ મુજબ 35 ટકા દર્દી ઘરમાંથી જ સંક્રમિત થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે જો ઘરનો એક વ્યક્તિ વાયરસથી સંક્રમિત થઈ જાય તો બાકી બધા લોકો સંક્રમિત થઈ જાય છે. આ સાથે જ મંત્રીએ જનતાને અપીલ કરીને કહ્યુ કે ઘરમાં પૂરતી સુવિધા હોય તો તે હોમ ક્વૉરંટાઈનમાં રહે.
તમને જણાવી દઈએ કે કેરળમાં બુધવારે ઓણના પર્વના થોડા દિવસો બાદ 31445 નવો કોરોના વાયરસના કેસો નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં સંક્રમણોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. એટલુ જ નહિ બુધવારે 215 લોકોના મોત પણ થયા જ્યારે 1,65,273 નમૂનાઓની તપાસ કરવામાં આવી. ગઈ વખતે રાજ્યએ 30000નો આંકડો પાર કર્યો હતો. જ્યારે 20મેના રોજ 30,491 કેસ જોવા મળ્યા હતા. રાજ્યનો પૉઝિટિવિટી રેટ 19.3 ટકા છે. આ તરફ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બુધવારે અન્ય રાજ્યોને કેરળની કોરોના સ્થિતિનો હવાલો આપીને એલર્ટ કર્યા અને ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે આગામી તહેવારો દરમિયાન સાવચેતીના પગલા લેવાની સલાહ આપી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
