રાહુલના ગઢમાં 12 જાન્યુઆરીએ ‘આપ’ લગાવશે ઝાડૂ

નવી દિલ્હી, 5 જાન્યુઆરીઃ દિલ્હીમાં વિજય હાંસલ કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે લોકસભા ચૂંટણી પર છે. પાર્ટી દેશની સત્તા પર બિરાજવા માટે પોતાની કમર કસી રહી છે. પાર્ટી નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ‘આપ' નેતા કુમાર વિશ્વાસે રાહુલ ગાંધીના ગઢમાં ગાબડુ પાડવાની તૈયારી પૂરી કરી લીધી છે. અમેઠીથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા કુમારે વિશાળ રેલીનું આયોજન કર્યું છે.

amethi-aap-kejriwal
12 જાન્યુઆરીએ આમ આદમી પાર્ટી અમેઠીમાં વિશાળ રેલી યોજવા જઇ રહી છે. લોકસભા ચૂંટણી હેઠળ આમ આદમી પાર્ટીની પહેલી રેલી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં 12 જાન્યુઆરીએ થવાની છે. રેલીમાં અમેઠી સામાન્ય ચૂંટણીના સંભવિત ઉમેદવાર કુમાર વિશ્વાસ પણ ઉપસ્થિત રહેશે. આગામી સામાન્ય ચૂંટણીમાં કુમાર વિશ્વાસની અમેઠીમાંથી ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત પાંચ જાન્યુઆરીએ સંભિવત છે.

આ રેલને જન વિશ્વાસ રેલી નામ આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે રેલીમાં 50 હજારથી વધુ લોકો આવશે તેવી આશા છે. આ પહેલા 27 ડિસેમ્બરે અહીં ઝાડૂ સંદેશ યાત્રા કાઢવામાં આવી હતી, પરંતુ તેમાં કુમાર વિશ્વાસ આવી શક્યા નહોતા. તેવામાં જન વિશ્વાસ રેલી અનેક રીતે મહત્વની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X