રામ રહીમની પેરોલ અરજી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, ‘ખેતી નહિ કરે તો...'
રામ રહીમના પેરોલ મામલે વિવાદ વધી રહ્યો છે. કવિ ડૉ. કુમાર વિશ્વાસે રામ રહીમના પેરોલના બહાને નેતાઓ પર કટાક્ષ કર્યો છે.
બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમે પેરોલની અરજી આપી છે જેમાં તેણે ખેતીવાડી કરવાનો હવાલો આપ્યો છે. રામ રહીની મુક્તિ માટે હરિયાણા સરકારે પણ તેના 'સારા આચરણ'નો હવાલો આપ્યો છે. જ્યારે જેલ પ્રશાસને પણ રામ રહીમના પક્ષમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે. વળી, રામ રહીમના પેરોલ મામલે વિવાદ વધી રહ્યો છે. કવિ ડૉ. કુમાર વિશ્વાસે રામ રહીમના પેરોલના બહાને નેતાઓ પર કટાક્ષ કર્યો છે.

રામ રહીમની અરજી પર કુમાર વિશ્વાસે કર્યો કટાક્ષ
કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કટાક્ષ કર્યો, ‘હત્યા-બળાત્કારના આરોપમાં ન્યાયાલય દ્વારા સિદ્ધ ગુનેગાર રામ-રહીમ ‘ખેતી' કરવા માટે સરકારી અનુમતિ મેળવીને જેલમાંથી બહાર આવવા ઈચ્છે છે. સાચી વાત છે, ચાર મહિના પછી ચૂંટણી છે તે ‘ખેતી' નહિ કરે તો નેતાઓ પાક કેવી રીતે કાપશે?' ગુરમીત રામ રહીમ અત્યાર સુધી જેલમાં 23 મહિનાની સજા કાપી ચૂક્યો છે. જેલ પ્રશાસને તેની પેરોલની અરજીને સિરસાના ડેપ્યુટી કમિશ્નર પાસે મોકલી દીધી છે.

હરિયાણા સરકારે પણ કરી છે મુક્તિની ભલામણ
થોડા દિવસો અગાઉ રામ રહીમના પેરોલ વિશે હરિયાણાના જેલ મંત્રી કૃષ્ણ પંવારે કહ્યુ હતુ કે રામ રહીમનું આચરણ સારુ રહ્યુ છે અને તેવો રિપોર્ટ એસપી જેલે આપ્યો છે. જેલ અધિકારીઓએ પોતાના રિપોર્ટમાં કહ્યુ કે રામ રહીમનું આચરણ સારુ રહ્યુ છે અને જેલમાં તેનો કોઈ સાથે વિવાદ થયો નથી. બે વર્ષ પહેલા પંચકુલા કોર્ટે રામ રહીમને બળાત્કાર કેસમાં સજા સંભળાવી હતી.
|
બળાત્કાર અને હત્યા કેસમાં સજા કાપી રહ્યો છે રામ રહીમ
બળાત્કારના દોષી હોવા ઉપરાંત રામ રહીમ પર એક પત્રકાર રામ ચંદર છત્રપતિની હત્યાનો આરોપ પણ લાગ્યો હતો. આ કેસમાં પણ અદાલતે રામ રહીમને દોષી ગણાવ્યો હતો. સીબીઆઈની વિશેષ અદાલતે રામ રહીમ સહિત ત્રણ આરોપીઓને આજીવન જેલની સજા સંભળાવી હતી. વળી, રામ રહીમની મુક્તિને હરિયાણામાં થનારી વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડીને જોવાઈ રહ્યુ છે કારણકે રામ રહીમના અનુયાયી મોટી સંખ્યામાં છે. હવે રામ રહીના પેરોલ મામલે રાજકારણ ગરમાયુ છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
