ઘાસચારા કૌભાંડના ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષી
ચારા કૌભાંડ કેસમાં CBIની વિશેષ અદાલતે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં દોષિત ઠેરવ્યા છે. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
પટના : ચારા કૌભાંડ કેસમાં CBIની વિશેષ અદાલતે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં દોષિત ઠેરવ્યા છે. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લાલુ પ્રસાદ યાદવ મંગળવારના રોજ સવારે કોર્ટ પહોંચ્યા હતા.

સુનાવણી દરમિયાન CBIની વિશેષ અદાલતે RJD સુપ્રીમો લાલુ યાદવ સહિત 75 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આવા સમયે 24 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
21 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત કરવામાં આવશે. લાલુ પ્રસાદ યાદવ સુનાવણીના એક-બે દિવસ પહેલા રાંચી પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરીએ જ ચારા કૌભાંડ સાથે જોડાયેલા આ કેસમાં બચાવ પક્ષની દલીલો 29 જાન્યુઆરીએ પૂર્ણ થયા બાદ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જે 15 ફેબ્રુઆરી એટલે કે આજે સંભળાવવામાં આવશે. આવા સમયે લાલુ યાદવના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું કે, લાલુ પ્રસાદ યાદવની સજાની જાહેરાત પર સુનાવણી 21 ફેબ્રુઆરીએ રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટમાં થશે.
નોંધનીય બાબત છે કે, આ કેસ લગભગ 23 વર્ષ જૂનો છે. 1990 થી 1995 સુધી, ઝારખંડના ડોરાંડા સ્થિત ટ્રેઝરીમાંથી 139.95 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડ છે, જે ઘાસચારા કૌભાંડનો સૌથી મોટો કેસ છે. વર્ષ 2021 ની 7 ઓગસ્ટના રોજ ફરિયાદ પક્ષ વતી દલીલો પૂર્ણ થઈ હતી, જેમાં કુલ 575 સાક્ષીઓના નિવેદનો છે.
બચાવ પક્ષના વકીલ સંજય કુમારના જણાવ્યા અનુસાર, લાલુ પ્રસાદને ઘાસચારા કૌભાંડના 4 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં ચાઈબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના બે કેસ છે, જ્યારે લાલુ પ્રસાદને દેવઘર અને દુમકા ટ્રેઝરી કેસમાં જામીન મળ્યા છે. 139.35 કરોડના ગેરકાયદેસર ઉપાડના કેસમાં શરૂઆતમાં 170 આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 55 આરોપીઓના મોત થયા હતા. સીબીઆઈએ આ કેસમાં સાત લોકોને સરકારી સાક્ષી બનાવ્યા હતા. આ સાથે જ છ આરોપીઓ હજૂ પણ ફરાર છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
