For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુપ્રસાદ યાદવની રેલીમાં મનોરંજન માટે કવ્વાલીનો રસથાળ

|
Google Oneindia Gujarati News

lalu
પટના, 30 એપ્રિલ : બિહારમાં એનડીએના ઘટક પક્ષોમાં કહેવાતી લડાઇની વચ્ચે લાલુ પ્રપસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) 15 મેના રોજ પટણાના ગાંધી મેદાનમાં પરિવર્તન રેલીના માધ્યમાથી પોતાની તાકાત દર્શાવવાની સાથે 1990ના દાયકાની આરજેડીની રેલીઓની ઝલક પણ તેમાં જોવા મળશે. આ માટે રેલીમાં આવનારા લોકોના મનોરંજન માટે ચૈતા ગીત અને કવ્વાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આરજેડીના એક નેતાના જણાવ્યા અનુસાર આ વિશાળ રેલીમાં ભાગ લેવા માટે લોકો 14 મેના રોજથી જ પટના પહોંચવા લાગશે. તેમનું માનવું છે કે આ રેલી અત્યાર સુધી બિહારમાં યોજવામાં આવેલી સૌથી મોટી રેલી બની રહેવા સાથે વર્તમાન સરકારને ગાદી છોડવા માટેની ઉલટી ગણતપી પણ હશે.

આરજેડીના સાંસદ અને પાર્ટીના મહાસચિવ રામકૃપાલ યાદવના જણાવ્યા અનુસાર આ પરિવર્તન રેલીમાં 10 લાખથી વધારે લોકો ભાગ લેશે એવી સંભાવના છે. રેલીમાં ભાગ લેનારાઓના રહેવાની વ્યવસ્થા ધારાસભ્યોના આવાસ ઉપરાંત સંજય ગાંધી સ્ટેડિયમ, ગાંધી મેદાની અંદરની ફુટપાથ અને ગંગા તટ પર કરવામાં આવી છે.

રેલીમાં લોકોના મનોરંજનમ માટે ચૈતા ગીતનું આયોજન કરાવમાં આવ્યું છે. તેમાં છોટુ છલિયા, ખેસારી લાલ યાદવ, બાદલ બબલીના ગીતોનું આયોજન પણ છે. કેટલાક સ્થળોએ કવ્વાલી નું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ખાસ લખનૌથી કવ્વાલોને બોલાવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ લોકોને રેલીમાં જોડાવાનું આમંત્રણ આપી રહ્યા છે. તેમના દીકરા તેજસ્વી યાદવ પણ રેલીને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.

English summary
Lalu Prasad Yadav's rally have qawwali for entertainment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X