અયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો
અયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો
પ્રયાગરાજઃ ઉત્તર પ્રેદશના અયોધ્યામાં 5 જુલાઈ 2005ના રોજ થયેલ આતંકી હુલમામાં અદાલતે આજે 18 જુનના રોજ ચાર દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવી છે. પ્રયાગરાજ સ્પેશિયલ કોર્ટે મામલામાં એક આરોપીને છોડી મૂક્યો છે. કેસની સુનાવણી પૂરી થયા બાદ 9 જૂને કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખતા 18 જૂને ફેસલો સંભળાવવાની તારીખ જાહેર કરી હતી. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં 14 વર્ષ પહેલા પાંચ જુલાઈ 2005ના રોજ આતંકી હુલમો થયો હતો.

યૂપીના અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ પરિસરમાં પાંચ જુલાઈ 2005ના રોજ આતંકીઓએ હુલમો કર્યો હતો. સવારે લગભગ નવ વાગીને 15 મિનિટ પર સુરક્ષાબળોએ આતંકીઓનું એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. એન્કાઉન્ટરમાં પાંચેય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઘટનાને પગલે 2 નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અથડામણમાં મોતને ઘાટ ઉતરનાર આતંકીઓ પાસેથી મોબાઈલ મળ્યો હતો જેની કોલ ડિટેલથી આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર આતંકીઓના 5 સાથી, આશિક ઈકબાલ ઉર્ફ ફારુખ, મો.નસીમ, મો. અજીજ, શકીલ અહમદ અને ડૉ. ઈરફાનની ધરપકડ કરવામાં આવી. તમામને પહેલા ફૈઝાબાદ જેલ મોકલવામાં આવ્યા. જે બાદ 2006માં હાઈકોર્ટના આદેશ પર કેન્દ્રીય કારાગાર નૈની મોકલવામાં આવ્યા. સુરક્ષા કારણોસર આતંકીઓ પર નૈની જેલમાં જ વિશેષ અદાલત લગાવીને અત્યાર સુધીની સુનાવણી થઈ જેમાં આજે ફેસલો આવ્યો છે.
આ મામલે જિલ્લા ન્યાયાલય ફૈઝાબાદ/અયોધ્યાએ પાંચ અભિયુક્તો વિરુદ્ધ 19 ઓક્ટોબર 2006ના રોજ આોપ નક્કી કર્યા હતા. કેસની પત્રાવલી આઠ ડિસેમ્બર 2006ના રોજ હાઈકોર્ટના આદેશ પર સુનાવણી માટે જિલ્લા ન્યાયાલય અલ્હાબાદ /પ્રયાગરાજ અંતરિત થઈ આવી હતી. સુરક્ષા કારણોસર કેસની સુનાવણી નૈની જેલ પરિસરમાં જ શરૂ થઈ હતી. આ કેસમાં કુલ 63 સાક્ષીઓએ પોતાની જૂબાની આપી હતી.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં







Click it and Unblock the Notifications
