LoC કટોકટી : આજે સાંજે BJP નેતાઓને મળશે વડાપ્રધાન
સંઘર્ષ વિરામનું વારંવાર ઉલ્લંઘન કરી રહેલી પાકિસ્તાની સેનાએ એકવાર ફરી ભારતીય સીમા પર હુમલો કર્યો છે. પાકિસ્તાનના આ દુસ્સાહસનો આકરો જવાબ આપવા માટે વડાપ્રધાન મનમોહન સિંહે ભાજપના નેતાઓની સાથે આજે સાંજે 4.30 કલાકે બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહ પાકિસ્તાને કરેલી હરકત અંગે આકરા પગલા લેવા અંગે ચર્ચા કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને લાલકૃષ્ણ અડવાણી સામેલ થશે.
મંગળવારે જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં થયેલા પાકિસ્તાની હુમલાની ચારો તરફથી નિંદા થઇ રહી છે. આ હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થઇ ગયા છે. મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપની સીમા પર સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં ભારતની નિષ્ફળતાને આ હુમલાનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. જો કે પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લેવાથી ઇનકાર કર્યો છે.