કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે
આખરે બધા જ વિવાદો પછી નક્કી થઇ ગયું છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (જેએનયુ) ના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ક્યાંથી ચૂંટણી લડશે.
આખરે બધા જ વિવાદો પછી નક્કી થઇ ગયું છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (જેએનયુ) ના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ક્યાંથી ચૂંટણી લડશે. રવિવારે કમ્યુનિસ્ટ પાર્ટીના સૂર્વરમ સુધારક રેડ્ડીએ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે કન્હૈયા કુમાર સીપીઆઇ ટિકિટ પર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે. આ સીટ પર તેમની ટક્કર કેન્દ્રીય મંત્રી અને ભાજપા નેતા ગિરિરાજ સિંહ સાથે થશે. આપને જણાવી દઈએ કે ભાજપના નેતા ગિરિરાજ સિહને આ વખતે પાર્ટીએ નવાદા સીટને બદલે બેગુસરાય સીટ આપી છે.

એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કન્હૈયા કુમાર આ સીટ પર વામપંથીઓના સંયુક્ત ઉમેદવાર હશે, પરંતુ આ અંગે કોઈ પણ અધિકારીક નિવેદન આવ્યું નથી. જો આવું થયું તો કન્હૈયા કુમારની આ સીટ પર ગિરિરાજ રાજ સિંહ અને આરજેડીના સંભવિત નેતા તન્વીર હસન સાથે ટક્કર થશે.
આ પણ વાંચો: બિહારમાં રાહુલ ગાંધીઃ મોદી અને આરએસએસથી નથી ડરતો, માત્ર એક વસ્તુથી ડરુ છુ
આપને જણાવી દઈએ કે બિહાર ગઠબંધને શુક્રવારે સીટોની ઘોષણા કરી. બિહારની 40 લોકસભા સીટોમાં રાજદ 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે, જયારે કોંગ્રેસના ખાતામાં 9 સીટો આવી છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP) ને 5 સીટો, હિન્દુસ્તાની અવામ મોરચા અને વિકાસશીલ ઇન્શાન પાર્ટીને ત્રણ-ત્રણ સીટો આપવામાં આવી છે. ભકાપ (માલે) ને રાજદ કોટામાંથી એક સીટ આપવામાં આવી છે. ત્યારપછી બધાની નજર કન્હૈયા કુમાર પર હતી, જેના પરથી પણ હવે સસ્પેન્સ ઉઠી ગયું છે અને નક્કી થઇ ગયું છે કે તેઓ બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે.
Suravaram Sudhakar Reddy, Communist Party of India: Former Jawaharlal Nehru University students union president, Kanhaiya Kumar will contest from Begusarai Lok Sabha constituency. #Bihar pic.twitter.com/aXtnEPQBvX
— ANI (@ANI) March 24, 2019
બિહારમાં કુલ 40 લોકસભા સીટો માટે સાત તબક્કાઓમાં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મેં, 12 મેં, અને 19 મેં દરમિયાન મતદાન થશે. વોટોની ગણતરી 23 મેં દરમિયાન થશે.












Click it and Unblock the Notifications
