Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આજે ખેડૂતોની મહાપંચાયત, ઇન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ કરાઈ!

આજે હરિયાણામાં કરનાલ જિલ્લાના અનાજ મંડી વિસ્તારમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ રહી છે. રાજ્યભરમાંથી ખેડૂતો-વિરોધીઓ ખેડૂતોના સંગઠનોના નેતૃત્વમાં મિની સચિવાલયનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે.

આજે હરિયાણામાં કરનાલ જિલ્લાના અનાજ મંડી વિસ્તારમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ રહી છે. રાજ્યભરમાંથી ખેડૂતો-વિરોધીઓ ખેડૂતોના સંગઠનોના નેતૃત્વમાં મિની સચિવાલયનો ઘેરાવ કરવા જઈ રહ્યા છે. જો કે, ખેડૂત સંગઠનોના ઘેરાવની જાહેરાતને જોતા પોલીસ-વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. સરકારે રાજ્યના 5 જિલ્લાઓમાં તમામ મોબાઇલ કંપનીઓની ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ બંધ કરી દીધી છે. તે જ સમયે, જિલ્લામાં કલમ 144 લાગુ છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. 40 નાકા પર પોલીસ હાજર છે. આ ઉપરાંત, આજે સવારથી વરસાદે પણ વિરોધીઓના મેળાવડામાં અડચણ ઉભી કરી છે. સમાચાર એજન્સીએ કહ્યું કે, હાલમાં, હરિયાણા રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.

Mahapanchayat

કરનારના જે વિસ્તારમાં આજે ખેડૂતોની મહાપંચાયત છે, ત્યાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ખેડૂત-વિરોધીઓને મિની સચિવાલય સુધી પહોંચતા અટકાવવા અર્ધલશ્કરી દળ સહિત સુરક્ષા દળોની 40 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. હરિયાણા પોલીસની 30 કંપનીઓ પણ લવાગાઈ છે. અર્ધલશ્કરી દળની 10 કંપનીઓને અલગથી તૈનાત કરવામાં આવી છે. 5 SP અને 25 HPS કમ DSP ને પણ તૈનાનત કરાયા છે. તેમની સાથે વોટર કેનન અને ડ્રોન પણ તૈનાત રાખવામાં આવ્યા છે.

ગૃહ સચિવ-1 ડો.બલ્કર સિંહે આદેશ આપ્યો છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 5 જિલ્લા કુરુક્ષેત્ર, કૈથલ, પાણીપત અને જીંદમાં સોમવારે રાત્રે 12 થી 11:59 સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર બંધ રહેશે.

ડીસી કરનાલે કહ્યું કે શહેરને લગભગ પુરૂ સીલ કરી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા 18 નાકા લગાવાયા છે. જીટી રોડથી મિની સચિવાલય અને શહેરથી મિની સચિવાલય તરફ જતા રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે. ખેડૂતો આ માર્ગ દ્વારા પહોંચે તેવી શક્યતા વધુ હતી, તેથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે રસ્તાઓ પર રેતી ભરેલી ટ્રકો મૂકીને રસ્તા પણ રોકી દીધા છે.

ખેડૂત સંગઠનોના નેતાઓએ બસતાડા ટોલ પર લાઠીચાર્જનો વિરોધ કરવા માટે કરનાલમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે. આ ટોલ પર પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા. ઘણાના માથામાંથી લોહી વહી રહ્યું હતું. એક પ્રદર્શનકારીનું પણ મોત થયું હતું. જે બાદ હવે કરનાલમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે ખેડૂતો હવે અનિશ્ચિત સમયગાળા માટે મિની સચિવાલયનો ઘેરાવ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X