Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maharashtra : એકનાથ શિંદેની તબિયત લથડી, ડોક્ટરોની ટીમ તપાસ માટે પહોંચી

Eknath Shinde : એક તરફ મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને હંગામાનો માહોલ છે તો બીજી તરફ કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથડી છે.

અહેવાલો અનુસાર, એકનાથ શિંદેની તબિયત અચાનક લથડતા તપાસ માટે ડોક્ટોરની ટીમ પહોંચી હતી. ડોક્ટરો તેમના ગામ સતારામાં તેમની તબિયત પર નજર રાખી રહ્યાં છે.

Eknath Shinde

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદેને તાવ, શરદી અને ગળામાં ઈન્ફેક્શન છે. એક-બે દિવસમાં ઠીક થઈ જશે. ગઈકાલથી તેમની તબિયત સારી નહોતી અને હવે સારવાર શરૂ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદને લઈને મહાયુતિમાં ઘમાસાણનો માહોલ છે. અહેવાલો એવા પણ છે કે એકનાથ શિંદે નારાજ છે અને એટલે જ તેમના ગામ સતારા પહોંચ્યા છે. અમિત શાહ સાથે મુલાકાત થયા બાદ શિંદે ગામ જવા રવાના થઈ ગયા હતા.

અમિત શાહ અને મહાયુતિના નેતાઓ એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત થઈ હતી. મીડિયા સાથે વાત કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં સરકારની રચનામાં અવરોધ નહીં બને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સમર્થન કરશે.

જો કે આ પછી ઘટનાક્રમમાં વળાંક આવ્યો અને શિંદે નારાજ થઈને ગામ રવાના થઈ ગયા. અહેવાલો એવા પણ છે કે મુખ્યમંત્રી દને લઈને એકનાથ શિંદે નારાજ છે અને પદ છોડવા નથી માંગતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X