Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maharashtra Floor Test: શિવસેનાની તરફેણમાં પડ્યા 169 મત, ભાજપનું વૉકઆઉટ

Maharashtra Floor Test: શિવસેનાની તરફેણમાં પડ્યા 169 મત, ભાજપનું વૉકઆઉટ

મુંબઈઃ કેટલાય રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લઈ લીધા છે. હવે ઉદ્ધવ ઠાકરે 30મી નવેમ્બરે પોતાનું પહેલું બહુમત પરીક્ષણ કરવા જઈ રહ્યા છે. નવા પ્રોટેમ સ્પીકર દિલીપ વાલ્સે પાટિલની દેખરેખ હેઠળ બહુમત પરીક્ષણ થશે, જણાવી દઈએ કે શુક્રવારે ભાજપના કાલિદાસ કોલંબકરની જગ્યાએ એનસીપીના દિલીપ વાલ્સે પાટિલે પ્રોટેમ સ્પીકર તરીકે રિપ્લેસ કર્યા છે. બહુમત પરીક્ષણ ઉપરાંત શનિવારે વિધાનસભા સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન પણ થશે. વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીના એક દિવસ અગાઉ વિશ્વાસમત યોજાઈ રહ્યો હોવાથી આજે મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધિત પણ કરશે. જણાવી દઈએ કે સરકાર બનાવવાના શિવસેનાના દાવા વખતે શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 તથા નાની પાર્ટીઓના અને અપક્ષ મળીને 12 જેટલા ઉમેદવારોએ સમર્થન આપ્યું હતું. જો ફ્લોર ટેસ્ટ દરમિયાન ટાઇ પડી તો આવા કિસ્સામાં પ્રોટેમ સ્પીકર પોતાનો મત આપશે.

maharashtra floor test

Nov 30, 2019, 3:04 pm IST

મહા વિકાસ આગાડી સરકારની તરફેણમાં કુલ 169 મત પડ્યા, ઉદ્ધવ ઠાકરેએ બહુમતી સાબિત કરી
Nov 30, 2019, 3:02 pm IST

મનસેએ ના પક્ષ કે ના વિપક્ષમાં કર્યું વોટીંગ, તટસ્થ રહેશે પાર્ટી
Nov 30, 2019, 2:59 pm IST

અમે આ વિશે રાજ્યપાલને એક પત્ર લખીશું, અમે માંગ કરીએ છીએ કે બંધારણના નિયમો અનુસાર કાર્યવાહી થવી જોઈએ.
Nov 30, 2019, 2:59 pm IST

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - સ્પીકરની ચૂંટણી અંગે સરકાર ભયભીત હતી કારણ કે તેમને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ ન હતો, તેથી તેમને હોટેલમાં રાખ્યા
Nov 30, 2019, 1:29 pm IST

કોંગ્રેસે તેના ધારાસભ્યોને આપ્યું ત્રણ લાઇનનું વ્હિપ, તમામ ધારાસભ્યોને ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભામાં હાજર રહેવાની અપાઇ સૂચના આપી.
Nov 30, 2019, 6:55 am IST

મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી આજે વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધશે.
Nov 30, 2019, 6:55 am IST

રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરની ચૂંટણી થવાની હોય આજે સ્પીકર માટે નોમિનેશન પણ થશે.
Nov 30, 2019, 6:54 am IST

જો વિશ્વાસ મતની તરફેણમાં અને વિરુદ્ધમાં સમાંતર મત પડશે એટલે કે ટાઇ થશે તો પ્રોટેમ સ્પીકર દિલીપ સાલ્વે પાટિલ પોતાનો મત આપશે.
Nov 30, 2019, 6:53 am IST

એનસીપીના પ્રોટેમ સ્પીકર દિલીપ સાલ્વે પાટિલની દેખરેખમાં વિશ્વાસમત થશે.
Nov 30, 2019, 6:53 am IST

આજે બપોરે 2 વાગ્યે ઉદ્ધવ ઠાકરે પોતાનું પહેલું બહુમત પરીક્ષણ સાબિત કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X