મહાત્મા ગાંધીજીના કહેવાથી સાવરકરે અંગ્રેજો સામે કરી હતી દયા અરજીઃ રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યુ કે અંગ્રેજો સામે દયા અરજી વિશે એક ખાસ વર્ગના લોકોના નિવેદનોને ખોટા ગણાવીને એ દાવો કર્યો કે મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે અંગ્રેજો સમક્ષ દયા અરજી આપી હતી.
નવી દિલ્લીઃ દેશના સંરક્ષણ મંત્રી અને ભાજપ નેતા રાજનાથ સિંહે મંગળવારે કહ્યુ કે રાષ્ટ્ર નાયકોના વ્યક્તિત્વ તેમજ કર્તવ્યો વિશે વાદ પ્રતિવાદ હોઈ શકે છે પરંતુ વિચારધારાના ચશ્માથી જોઈને વીર સાવરકરના યોગદાનની ઉપેક્ષા કરવી અને તેમને અપમાનિત કરવા ક્ષમા યોગ્ય અને ન્યાયસંગત નથી. રાજનાથ સિંહે ઉદય માહૂરકર અને ચિરાયુ પંડિતના પુસ્તક 'વીર સાવરકર હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટીશન'ના વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી. આ કાર્યક્રમમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ ભાગ લીધો.

રાજનાથ સિંહે કહ્યુ કે અંગ્રેજો સામે દયા અરજી વિશે એક ખાસ વર્ગના લોકોના નિવેદનોને ખોટા ગણાવીને એ દાવો કર્યો કે મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે અંગ્રેજો સમક્ષ દયા અરજી આપી હતી. તેમણે કહ્યુ કે સાવરકરે વિશે જૂઠ ફેલાવવામાં આવ્યુ. રાજનાથ સિંહે વધુમાં કહ્યુ કે વીર સાવરકર એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, એવામાં વિચારધારાના ચશ્માથી જોઈને તેમના યોગદાનને અવગણવુ અને તેમનુ અપમાન કરવુ ક્ષમા યોગ્ય નથી. રાજનાથ સિંહે કહ્યુ કે એક ખાસ વિચારધારાથી પ્રભાવિત વર્ગ વીર સાવરકરના જીવન તેમજ વિચારધારાથી અપરિચિત છે અને તેમને તેમની યોગ્ય સમજ નથી, તે સવાલ ઉઠાવતા રહે છે. આપણા રાષ્ટ્ર્ નાયકોના વ્યક્તિત્વ તેમજ સર્જનાત્મકતા વિશે પ્રતિવાદ હોઈ શકે છે પરંતુ તેમને હીન દ્રષ્ટિથી જોવા કોઈ પણ રીતે યોગ્ય અને ન્યાયસંગત ન કહી શકાય.
રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યુ કે વીર સાવરકર મહાનાયક હતા, છે અને ભવિષ્યમાં પણ રહેશે. અમુક લોકો તેમના પર નાઝીવાદી, ફાસીવાદી હોવાનો આરોપ લગાવે છે પરંતુ સચ્ચાઈ એ છે કે આવા આરોપ લગાવનાર લોકો લેનિનવાદી, માર્ક્સવાદી વિચારધારાથી પ્રભાવિત હતા અને હજુ પણ છે. સીધા શબ્દોમાં કહીએ તો સાવરકર યથાર્થવાદી અને રાષ્ટ્રવાદી હતા જે બોલ્શેવિક ક્રાંતિ સાથે સ્વસ્થ લોકતંત્રની વાત કરતા હતા. રાજનાથ સિંહે કહ્યુ કે સાવરકરની દેશને આઝાદ કરાવવાની ઈચ્છા શક્તિ એટલી મજબૂત હતી, એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે અંગ્રેજોએ તેમને બે વાર આજીવન કારાવાસની સજા સંભળાવી.
રાજનાથ સિંહે કહ્યુ કે હિંદુત્વ વિશે સાવરકરનો એક વિચાર હતો જે ભારતની ભૌગોલિક સ્થિતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો હતો. તેમના માટે હિંદુ શબ્દ કોઈ ધર્મ કે પંથ સાથે જોડાયેલો નહોતો પરંતુ ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલો હતો. તેમણે કહ્યુ કે આ વિચાર પર કોઈને વાંધો હોઈ શકે છે પરંતુ આ વિચારના આધારે નફરત કરવી યોગ્ય નથી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
