મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરો, પ્રજા નિર્ણય કરશે : જમીયત

narendra-modi
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેદ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની માંગને લઇને શરૂ થયેલી ચર્ચાઓ દરમિયાન પ્રમુખ મુસ્લિમ સંગઠન જમીયત ઉમેલા-એ-હિંદે કહ્યું હતું કે પાર્ટીએ નરેન્દ્ર મોદીના નામની જાહેર કરી દેવી જોઇએ પછી દેશની જનતા નક્કી કરશે કે 'સાંપ્રદાયિક વ્યક્તિ' દેશના મહત્વપૂર્ણ પદ પર બેસવો જોઇએ કે નહી.

જમીયત પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે 'અમે તો કહી રહ્યાં છીએ કે ભાજપ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે પછી દેશની જનતા નક્કી કરશે કે આવા વ્યક્તિને વડાપ્રધાન બનવા જોઇએ કે નહી.

તેમને કહ્યું હતું કે 'દેશનો મિજાજ ધર્મનિરપેક્ષ છે અને અમને પૂરો વિશ્વાસ છે જનતા યોગ્ય નિર્ણય લેશે.' ગુજરાતમાં નરેન્દ્ર મોદીને ઘણા સ્થળોથી મુસ્લિમ વોટ મળ્યા હોવાનો ઉલ્લેખ કરતાં મદનીએ કહ્યું હતું કે 'વિધાનસભાની ચુંટણી પોતાની જગ્યાએ છે, જ્યાં લોકો સ્થાનીક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે. સંસદીય ચુંટણી,આં સ્થિતી અલગ પ્રકારની હોય છે.'

અત્રે ઉલ્લેખનીય છે ભાજપમાં યશવંત સિંહ અને રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની તરફેણ કરી છે. આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X