મમતા બેનર્જીએ અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી, જાણો શું વાત થઈ?
અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને વિપક્ષી પાર્ટીઓએ મોરચો ખોલ્યા બાદ હવે મમતા બેનર્જીએ અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. આ સિવાય તેઓ અરવિંદ કેજરીવાલના માતા-પિતાને પણ મળ્યા.

આ મુલાકાત દરમિયાન સીએમ મમતા બેનર્જીએ અરવિંદ કેજરીવાલના માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.
આ બેઠક બાદ આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટીના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં મમતા બેનર્જી અને સુનીતા કેજરીવાલની મુલાકાત પર આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભારત તાનાશાહના વિરોધમાં એકજૂટ છે.
રાઘવ ચઢ્ઢાએ આ મીટિંગ પર કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને તેમના પરિવારના સભ્યો, સીએમ કેજરીવાલના પત્ની, તેમના માતા-પિતા તેમને મળવા અને તેમની સુખાકારી વિશે જાણવા આવ્યા હતા.
तानाशाह की तानाशाही के विरोध में एकजुट है INDIA 🇮🇳
— AAP (@AamAadmiParty) July 26, 2024
दिल्ली के मुख्यमंत्री @ArvindKejriwal जी के परिवार से मिलने उनके निवास पर पहुंची पश्चिम बंगाल की मुख्यमंत्री @MamataOfficial जी 🙏
मुख्यमंत्री अरविंद केजरीवाल जी की धर्मपत्नी @KejriwalSunita जी ने ममता बैनर्जी जी का किया… pic.twitter.com/pZWbcPcyab
રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે, મમતા બેનર્જી અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત હતા. તેમણે આ વિષય પર તેમની તબિયત વિશે પણ વિગતવાર પૂછપરછ કરી. સંઘર્ષની આ ઘડીમાં મમતા બેનર્જી આમ આદમી પાર્ટી સાથે ઉભા છે.
જણાવી દઈએ કે મમતા બેનર્જી કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતા ભાજપ પર પ્રહારો કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અનેક પ્રસંગોએ એકબીજાના પક્ષમાં બોલતા રહ્યા છે.












Click it and Unblock the Notifications
