મમતા બેનર્જી ભડક્યા, બોલ્યા 'હવે પછી નહીં આવું દિલ્હી'

mamata-banerjee
નવી દિલ્હી, 9 એપ્રિલઃ યોજના ભવન બહાર પશ્ચિમ બંગાળના નાણામંત્રી અમિત મિત્રા સાથે સવારે સ્ટૂડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ ધક્કા-મુક્કી કરી. જેનાથી નારાજ થયેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ બીજી વખત દિલ્હી નહીં આવે. એસએફઆઇ કાર્યકર્તા પશ્ચિમ બંગાળમાં એક છાત્ર નેતાની મોતના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં હતા.

મમતા પશ્ચિમ બંગાળ માટે વિશેષ પેકેજની માંગ લઇને પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યોજના આયોગના ઉપાધ્યક્ષ મોન્ટક સિંહ અહલૂવાલિયાને મળવા આવ્યા હતા. તેમની સાથે નાણામંત્રી અમિત મિત્રા સહિત ટીએમસીના અન્ય નેતાઓ પણ હતા.

અહલુવાલિયાને મળ્યા બાદ મમતા જ્યારે યોજના ભવનની બહાર આવી રહ્યાં હતા ત્યારે એસએફઆઇના કાર્યકર્તાઓએ મિત્રા સાથે ધક્કા-મુક્કી કરી હતી. તેનાથી મમતા બેનર્જી ઘણા નારાજ થઇ ગયા હતા અને તેમણે કહ્યું કે તેઓ હવે પછી બીજી વખત દિલ્હી નહીં આવે અને જે પ્રકારનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેને તેમણે ગંદા રાજકારણ સાથે સરખાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X