For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંભના મેળામાં આસારામનો વિરોધ, છબી પર ફરી કાળી પીંછી

|
Google Oneindia Gujarati News

ઇલાહાબાદ, 12 જાન્યુઆરી: કુંભના મેળાની એક તરફ તડામાર તૈયારી ચાલી રહી છે. દેશ-દુનિયાના ધર્મગુરુઓ અને યાત્રાળુઓ કુંભના મહામેળામાં ભાગ લેવામાં ઉત્તર પ્રદેશના ઇલાહબાદ ખાતે આવવા લાગ્યા છે. તેવામાં ધર્મગુરુ તરીકે જાણીતા આસારામ બાપુનો વિરોધ કરતા એક ભક્તે તેમની છબી પર કાળી પીંછી ફેરવી હતી.

આસારામ બાપુએ તેમના એક કાર્યક્રમમાં દિલ્હીમાં થયેલા ચાલતી બસમાં એક વિદ્યાર્થિની પર બળાત્કાર અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આસારામ બાપુએ જણાવ્યું હતું કે સામુહિક બળાત્કારમાં દોષિઓનો જેટલો વાંક છે એટલો જ વાંક પીડિત યુવતીનો પણ છે. તેમણે કહ્યું હતું કે તાળી એક હાથે નથી વાગતી. જો પીડિતાએ દોષિઓ સામે હાથ જોડ્યા હોત અને તેમને ભાઇ કહી જવા દેવાની વિનંતી કરી હોત તો તેની ઇજ્જત અને જીવ બંને બચી જાત. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેણે દીક્ષા લીધી હોત તેની સાથે આવું ના થાત.

asaram bapu
આસારામ બાપુના આ વાંધાજનક નિવેદન બાદ દેશભરમાં તેમનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ઠેરઠેર લોકોએ તેમના પોસ્ટર બાળીને તેમના નિવેદન પર વિરોધ નોંધાવ્યો હતો. કુંભના મેળામાં ભાગ લેવા આવેલા એક યાત્રાળુએ પણ ગેંગરેપ પીડિતા માટે વાંધાજનક નિવેદન કરવા બદલ તેમના પોસ્ટર પર કાળો રંગ લગાવી તેમનું મો કાળું કરી દીધું હતું.

English summary
A man blackens the poster of Asaram Bapu during his visit to Maha Kumbh in Ahmedabad on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X