ઉમર 141 વર્ષ, કાશ્મીરમાં છે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ?

કાશ્મીરના ઉડી જિલ્લાના બિહજામા ગામમાં રહેતા ફિરોજ-ઉન દીન મીર પોતાની જન્મ તારીખ 10 માર્ચ 1872 જણાવી છે. તેમનો દાવો કોઇ ગપગોળો નથી. મીર પાસે એક સરકારી સર્ટીફિકેટ પણ છે, જેમાં તેમની જન્મ તારીખ આ લખવામાં આવી છે. જો તેમનો દાવો સાચો સાબિત થશે તો, ધરતી પર જીવીત સૌથી વયોવૃદ્ધ વ્યક્તિનો ખિતાબ હાંસલ કરી લેશે. હાલ આ રેકોર્ડ જાપાનના 115 વર્ષની મિસાઓ ઓકાવા પાસે છે. અત્યારસુધી સૌથી વધુ ઉમર સુધી જીવીત રહેવાનો રેકોર્ડ ફ્રેન્ચની મહિલા જેની કાલમેન્ટના નામ પર છે, જેમનું નિધન 122 વર્ષની ઉમરે થયો હતો. મીરની આ વાત સાચી સાબિત થઇ તો તે આ રેકોર્ડને પણ તોડી નાંખશે.
કાશ્મીર લાઇફ મેગેઝિનના અહેવાલ અનુસાર 141 વર્ષના મીર પોતાની પાંચમી પત્ની મિસરા સાથે રહે છે, જે તેમના કરતા 60 વર્ષ નાના છે. મીરે પોતાની ઉમરના 8માં દશકામાં મિસરા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેમની ચાર પત્નીઓ હતી. મીરની દ્રષ્ટિ હવે નબળી પડી ગઇ છે, પરંતુ તે પરિવારજનોની મદદથી હરી-ફરી શકે છે. મીર પોતાના પિતાના નક્શેકદમ પર ચાલીને ફળ અને મેવોના વ્યાપારી બની ગયા હતા. તે પિતા સાથે કરાચી જતા હતા. મીર કહે છે કે, એ દરમિયાન ભારત અને પાકિસ્તાનની સીમાઓ નહોતી. અહીથી મુજફ્ફરાબાદ જવું શ્રીનગર જવા કરતા ઘણું સહેલું હતું. હું કરાચીમાં એક વ્યાપારી પરિવાર સાથે કામ કરતો હતો. હું કાશ્મીર ડ્રાઇ ફ્રૂટ્સ લઇ જઇને ત્યાં વેંચતો હતો. આ મેવા કરાચીમાં ઘણા લોકપ્રીય હતા.
1890માં તેમના પહેલા લગ્ન થયા અને 1900માં પત્નીનું મોત થયું ત્યાં સુધી તેઓ કરાચીમાં રહ્યાં. જ્યારે તેમની પત્નીનું મોત નીપજ્યું, તો તે પોતાના ગામ પરત આવતા રહ્યાં અને પછી ચાર વાર લગ્ન કર્યા. તેમની પાંચમી પત્ની મિસરાએ જણાવ્યું કે, તેમણે ઘણા કડવા અનુભવોનો સામનો કર્યો છે. તે 1880માં સોપોર અને પાટણ વિસ્તારમાં આવેલા ભૂકંપ અંગેની વાતો જણાવે છે. જ્યારે તેઓ કરાચી જતા હતા, ત્યારે તેમણે ઘણા જીવો બચાવ્યા હતા. છેલ્લા 100 વર્ષમાં તે અનેક મોટી ઘટનાઓના સાક્ષી રહ્યાં છે. મીરે એ સમય પણ યાદ કર્યો, જ્યારે પાકિસ્તાની છાપેમારોએ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. તેઓ જણાવે છે કે કેવી રીતે મોહરાના પાવર હાઉસને તબાહ કરી દેવામાં આવ્યું અને ગાર્ડની હત્યા કરવામાં આવી હતી. તમામ લોકોએ પર્વતોમાં છૂપાઇને રહેવું પડ્યું હતું.
મીર કહે છે કે, હવે જીવનમાં ટેક્નોલોજીએ ઘણી દખલગીરી કરી છે. તેઓ કહે છે કે, આજે જીવન ઘણું સહેલું થઇ ગયું છે, પરંતુ લોકો એક બીજા સાથે શાંતિથી રહી શકતા નથી. મીરના પૌત્ર અબ્દુલ રાશિદ જણાવે છે કે,10 વર્ષ પહેલા આંખોના ઓપરેશન બાદ મીરની નજર અને મેમરી પર ઘણી અસર પહોંચી છે. અમે તેમની ઘણી કહાણીઓ સાંભળતા હતા, તે સંભળાવતા રહેતા અને કહાણીઓ ક્યારેય ખતમ થતી નહોતી. તેમણે જીવનને ઘણું નજીકથી જોયું છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
