મનમોહન સિંહે 2 ઓક્ટોબરે બોલાવી કેબિનેટની બેઠક

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન અમેરિકાની મુલાકાતે હતા તે દરમિયાન શુક્રવારે રાહુલ ગાંધીએ આ વટહુકમને પાર્ટીના નિર્ણયની વિરુદ્ધ જઇને બકવાસ ગણાવ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદન બાદ વડાપ્રધાને અમેરિકામાં જણાવ્યું હતું કે આ અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.
રાહુલ ગાંધીના નિવેદનને પગલે કેબિનેટ દ્વારા રાષ્ટ્રપતિવની મંજૂરી માટે મોકલવામાં આવેલા વટહુકમને પાછો ખેંચી લેવામાં આવે તેવી ચર્ચા શરૂ થઇ હતી. બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ આ અંગે કોઇ નિર્ણય લીધો નથી.
આ વટહુકમ અનુસાર બે વર્ષની સજા ભોગવ્યા છતાં પણ જો જનપ્રતિનિધિ એટલે કે એમપી કે એમએલએ ત્રણ મહિનાની અંદર કોર્ટમાં અપીલ કરશે તો તેનો હોદ્દો નહીં જાય.












Click it and Unblock the Notifications
