નરેન્દ્ર મોદી સહીત ઘણા નેતા PM બનવા લાયક: મેનકા ગાંધી

ગોવંશ પર આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવેલી મેનકા ગાંધીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીમાં પ્રધાનમંત્રી બનવાના બધા જ ગુણ છે. તેમની જેમ પાર્ટીમાં અન્ય પણ અડધા ડઝન સિનિયર નેતા પણ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે બીજેપીના શ્રેષ્ઠ નેતૃત્વમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે જે પણ નિર્ણય થશે તેની સાથે તેઓ સહમત હશે.
જ્યારે તેમને એ પ્રશ્ન કરવામાં આવ્યો કે એનડીએના ઘટકદળ જેડીયુને મોદીના નામ પર આપત્તિ છે, જેના જવાબમાં મેનકા ગાંધીએ જણાવ્યું કે એ જેડીયુની પોતાની સમસ્યા છે. બીજેપી નેતાઓએ તો હમણા પોતાની પાર્ટીને મજબૂત કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
જોકે ભાજપમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને અટકળો વચ્ચે પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે તેઓ આ મુદ્દે કોઇ ચર્ચા ના કરે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે સોમવારે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને જણાવ્યું કે તે પીએમ પદને લઇને કોઇ નિવેદનબાજી ના કરે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
