નરેન્દ્ર મોદી સહીત ઘણા નેતા PM બનવા લાયક: મેનકા ગાંધી
ગોવંશ પર આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવેલી મેનકા ગાંધીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીમાં પ્રધાનમંત્રી બનવાના બધા જ ગુણ છે. તેમની જેમ પાર્ટીમાં અન્ય પણ અડધા ડઝન સિનિયર નેતા પણ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે બીજેપીના શ્રેષ્ઠ નેતૃત્વમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માટે જે પણ નિર્ણય થશે તેની સાથે તેઓ સહમત હશે.
જ્યારે તેમને એ પ્રશ્ન કરવામાં આવ્યો કે એનડીએના ઘટકદળ જેડીયુને મોદીના નામ પર આપત્તિ છે, જેના જવાબમાં મેનકા ગાંધીએ જણાવ્યું કે એ જેડીયુની પોતાની સમસ્યા છે. બીજેપી નેતાઓએ તો હમણા પોતાની પાર્ટીને મજબૂત કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
જોકે ભાજપમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને અટકળો વચ્ચે પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે તેઓ આ મુદ્દે કોઇ ચર્ચા ના કરે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે સોમવારે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને જણાવ્યું કે તે પીએમ પદને લઇને કોઇ નિવેદનબાજી ના કરે.