#2GScam : મનમોહન સિંહે કહ્યું ખોટો પ્રચાર કરનારને મળ્યો જવાબ
2જી કૌભાંડ મામલે આજે વિશેષ અદાલતે જ્યાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ત્યાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ મામલે પ્રતિક્રિયા આપી છે. જે અંગે વિતગવાર જાણો અહીં.
દેશના બહુચર્ચિત 2જી કૌભાંડમાં આજે ચુકાદો આવ્યો છે. વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આ નિર્ણય પછી કોંગ્રેસીઓના ચહેરા ખુશ છે. વધુમાં કોર્ટના નિર્ણય પછી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે એનડીએ પર પોતાનો નિશાનો સાંધ્યો છે. મનમોહન સિંહે કહ્યું કે આ તમામ આરોપ ખોટી નિયતથી લગાવવામાં આવ્યા હતા. આ નિર્ણય પોતાનામાં બધુ જ કહી દે છે. તેણે ખરાબ પ્રચાર કરનારને જવાબ આપ્યો છે. વધુમાં મનમોહન સિંહે કહ્યું કે 2Gને લઇને યુપીએની વિરુદ્ધ પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો છે.
વધુમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આ નિર્ણય પછી ભાજપ પર પણ આક્ષેપ કર્યો છે. મનમોહન સિંહે કહ્યું કે કોર્ટે આ મામલે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. નોંધનીય છે કે આ 2જી કૌભાંડને ટેલિકોમ ક્ષેત્રનો સૌથી મોટો કૌભાંડ માનવામાં આવતો હતો. અને માનવામાં આવતું હતું કે આ કૌભાંડ દ્વારા દેશને 1 લાખ 76 હજાર કરોડ રૂપિયાનું નુક્શાન થયું છે. વધુમાં આ કૌભાંડ વર્ષ 2008માં થયું હતું જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સત્તામાં હતી. 2010ના કેગના રિપોર્ટમાં આ અંગે ખુલાસો થયો હતો. અને આજે આ પર વિશેષ કોર્ટનો ચુકાદો બહાર આવ્યો છે. જેમાં પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.