મૌલાના મદનીએ નરેન્દ્ર મોદીને નિષ્ફળ મુખ્યમંત્રી કહ્યા
નવી દિલ્હી, 23 એપ્રિલ: મૌલાના મદનીએ બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ગુજરાત રમખાણ સમયે એક સારા મુખ્યમંત્રી ના બની શક્યા તો હવે એક સારા વડાપ્રધાન કેવી રીતે બની શકશે? તેમણે એ પણ જણાવ્યું કે ગુજરાત રમખાણોની વિરુધ્ધ દેશના કોઇ પણ નાગરિકને માફી નહીં પરંતુ ન્યાય જોઇએ.
બે દિવસ પહેલા એક ખાનગી ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં મદનીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી મુસલમાનોની વિરુધ્ધ નથી. તેમણે એ પણ જણાવ્યું હતું કે મોદીને મુસલમાનોની ટોપી પહેરવાની કોઇ જરૂરીયાત નથી કારણ કે એક મુસ્લિમ હોવાના નાતે માથા પર તિલક નથી લગાવી શકતો. મદનીએ એક બાજું મોદીને સમર્થન તો આપ્યું પરંતુ બુધવારે તેમના વિચારોમાં પરિવર્તન આવી ગયું.
વર્ષ 2002 દરમિયાન ગુજરાતમાં થયેલા ગોધરા કાંડનું ઉદાહરણ આપતા મદનીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. મદનીએ જણાવ્યું કે ગોધરા રમખાણ વખતે મોદીએ કોઇ પણ નક્કર પગલા ન્હોતા ભર્યા. જેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે મોદી પોતાના શાસનકાળમાં એક સારા મુખ્યમંત્રી નથી રહ્યા. એવામાં એ વાતને કેવી રીતે માની લેવામાં આવે કે તેઓ દેશ માટે એક સારા વડાપ્રધાન બની શકે છે.

-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
