કુંવારા નથી માયાવતી, વર્જિનિટી ટેસ્ટ કરાવોઃ કુશવાહા
નવી દિલ્હી, 2 મેઃ આ વખતે લોકસભા ચૂંટણીમાં નેતાઓએ લોકતંત્રની તમામ મર્યાદાઓ વિટાવી દિધી છે. રાજકારણમાં કોઇ કોઇની પત્નીને તો કોઇ કોઇની દિકરીને તો કોઇ કોઇની બહેન પર કાદવ ઉછાળી રહ્યાં છે. તાજેતરમાં બસપા સુપ્રીમો માયાવતી અને સપા મુખિયા મુલાયમ સિંહ યાદવ વચ્ચે જંગ જામ્યો છે, જે તેનું તાજું ઉદાહરણ છે. હદ તો ત્યારે થઇ જ્યારે મુલાયમ સિંહના સહયોગી લીલાવતી કુશવાહાએ માયાવતીને વર્જિનિટી ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

સાથે જ તેમણે કહ્યું કે એ બધાને ખબર છેકે તેમણે પોતાની પહેલી પત્નીને કેટલું સન્માન આપ્યું હતું. લીલાવતીએ મુલાયમ સિંહના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે તેમણે એમપણ કહ્યું કે, એકદમ યોગ્ય કહ્યું છે. સાથે જ કુશવાહાએ કહ્યું કે આખા વિશ્વને ખબર છેકે માયાવતી કુંવારા નથી. જો તેમને નેતાજીનું આ નિવેદન ખરાબ લાગ્યું હોય તો તેઓ પોતાનો વર્જિનિટી ટેસ્ટ કરાવે અને વિશ્વને જણાવે કે શું સાચું છે.












Click it and Unblock the Notifications
