મીનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા મવાલી, વિવાદ વધતા કહ્યુ - કોઈને ઠેસ પહોંચી હોય તો શબ્દો પાછા લઉ છુ
પ્રદર્શનકારી ખેડૂતો નથી પણ મવાલી છે વાળા મીનાક્ષી લેખીના નિવેદન પર આવી સ્પષ્ટતા.
નવી દિલ્લીઃ ગુરુવારે સંસદમાં ખેડૂત આંદોલન મુદ્દે જોરદાર હોબાળો થયો. કૃષિ કાયદા સામે છેલ્લા ઘણા સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતો પર ભાજપ નેતા અને મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યુ કે પહેલી વાત તો એ કે તમે એમને ખેડૂત કહેવાનુ બંધ કરી દો, ખેડૂતો પાસે એટલો સમય નથી કે તે જંતર-મંતર પર ધરણા કરે, તે પોતાના ખેતરોમાં કામ કરી રહ્યા છે. આ માત્ર ષડયંત્રકારો દ્વારા ભડકાવેલ લોકો છે જે ખેડૂતોના નામ આ હરકતો કરી રહ્યા છે.

જ્યારે મીનાક્ષીને 26 જાન્યુઆરી થયેલી ઘટના છતાં જંતર મંતર પર પ્રદર્શનકારીઓને આવવાની મંજૂરી વિશે પૂછવામાં આવ્યુ તો તે ભડકી ગયા અને કહ્યુ કે ફરીથી તમે એ લોકોને ખેડૂત કહી રહ્યા છો, મવાલી છે એ. 26 જાન્યુઆરીએ જે કંઈ પણ થયુ તે શરમજનક હતુ અને વિપક્ષ દ્વારા આવા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
વિવાદ વધતા મીનાક્ષી લેખીએ આપી સફાઈ
વિવાદ વધી જતા હવે મીનાક્ષી લેખીએ સફાઈ આપી છે જેમાં તેમણે કહ્યુ કે તેમના નિવેદનનો ખોટી રીતે સમજવામાં આવ્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે મારા શબ્દો તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. જો આનાથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉ છુ.
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કર્યો પલટવાર
હવે ખેડૂત નેતા રાકેશ ટિકેતે મીનાક્ષી લેખીના નિવેદન પર પલટવાર કર્યો છે અને તેમણે કહ્યુ કે ખેડૂતો મવાલી નથી, ખેડૂતો વિશે આવી વાત ન કહેવી જોઈએ. ખેડૂત દેશનો અન્નદાતા છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા ખેડૂત સંસદ લગાવવા પર તેમણે કહ્યુ કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની આ પણ એક રીત છે. જ્યાં સુધી સરકાર ચાલશે અમે અહીં આવતા રહીશુ. સરકાર ઈચ્છશે તો વાતચીત શરૂ થઈ જશે.
मेरे शब्दों को तोड़ा मरोड़ा गया है अगर इससे किसी को ठेस पहुँची है तो मैं अपने शब्द वापस लेती हूँ । pic.twitter.com/s98ezkskzl
— Meenakashi Lekhi (@M_Lekhi) July 22, 2021
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
