Video: જોધપૂરમાં ફાઈટર જેટ મિગ-27 થયું ક્રેશ
રાજસ્થાનના જોધપુર સ્થિત દેઓલિયા ગામમાં મંગળવારે ભારતીય આર્મીનું ફાઈટર જેટ મિગ 27 ક્રેશ થયું
રાજસ્થાનના જોધપુર સ્થિત દેઓલિયા ગામમાં મંગળવારે ભારતીય આર્મીનું ફાઈટર જેટ મિગ 27 ક્રેશ થયું. સદ્ભાગ્ય પાયલટ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અંદાજો પણ ન લગાવી શકીએ તેવી ભયાનક ઘટના ઘટી હતી, ક્રેશની થોડી પળોમાં જ સંપૂર્ણ જેટ ખાખ થઈ ગયું હતું. ઘટના બાદ ગ્રામજનો પાયલટની મદદે દોડી આવ્યા હતા. ક્રેશ થયું તે જેટ જોધપુર એરબેઝથી ટેક ઑફ થયું હતું.

પાયલટ સુરક્ષિત
જેટ જેવું જ ક્રેશ થયું, પાયલટે પેરાશૂટની મદદથી કૂદીને ખુદનો જીવ બચાવ્યો. જો કે ગામના લોકો તુરંત દોડી આવ્યા હતા અને એમના હાલચાલ પૂછ્યા હતા. એક શક્સને વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે કે, 'ભૈયા હમ આ રહે હૈ..' આની સાથે જ તે પાયલટને સવાલ કરે છે કે શું તેઓ એકલા છે? પાયલટને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યા મુજબ બે ત્રણ એર જેટ ઉડી રહ્યા હતાં ત્યારે જ એકમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો, તેના પાયલટે પેરાશૂટથી છલાંગ લગાવી દીધી અને તે એક ખેતરમાં પડ્યા.
જોધપુરમાં જ છે બે સ્ક્વાડ્રન
ભારતે મિગ-27 સ્ક્વાડ્રનને રિટાયર કરી દીધું છે પરંતુ જોધપુરમાં હજુ તેના બે સ્ક્વાડ્રન છે. આ બંને સ્ક્વાડ્રનમાં અપગ્રેડેડ મિગ-27 તહેનાત કરવામાં આવ્યાં છે. આઠ જૂને આઈએએફનું જગુઆર ફાઈટર જેટમાં લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામી સર્જાતાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ જેટે ગુજરાતના જામનગર એરબેઝથી ઉડાણ ભરી હતી અને તે એક રૂટિન મિશન પર હતું. જેના માત્ર ત્રણ દિવસ પહેલા 5 જૂને એર કમોડોર સંજય ચૌહાણ જે જગુઆરને ઉડાવી રહ્યા હતા, તે પણ ટેક ઑફ કર્યાના કેટલીક મિનિટો બાદ જ ગુજરાતના મુંદ્રામાં ક્રેશ થઈ ગયું હતું. આ ઉપરાંત જૂનમાં જ આઈએએફનું સુખોઈ ફાઈટર જેટ પણ ક્રેશ થયું હતું.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ







Click it and Unblock the Notifications
