For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટાચારને કારણે પાર્ટી 2019 ચૂંટણી હારી શકે છે: ભાજપ MLA

ભાજપના એક વિધાયકે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને સંભાલ જિલ્લાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના એક વિધાયકે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને સંભાલ જિલ્લાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ગુંનોરથી ભાજપા વિધાયક અજિત કુમાર ઉર્ફ રજુ યાદવે પોતાની જ સરકારમાં થઇ રહેલા ભ્રષ્ટાચારની પોલ ખોલતા એવી ચેતવણી આપી છે કે અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે પાર્ટી 2019 ચૂંટણી હારી શકે છે.

આ પણ વાંચો: ગૌરક્ષા માટે યોગી સરકાર હવે 0.5 ટકા ટેક્સ વસૂલ કરશે

અધિકારીઓના ભ્રષ્ટ વ્યવહારને લોકોનો મૂડ રાજ્ય સરકાર વિરુદ્ધ

અધિકારીઓના ભ્રષ્ટ વ્યવહારને લોકોનો મૂડ રાજ્ય સરકાર વિરુદ્ધ

3 જાન્યુઆરીએ લખેલા પત્રમાં વિધાયક અજિત કુમાર યાદવે કહ્યું કે જિલ્લામાં અધિકારીઓના ભ્રષ્ટ વ્યવહારને લોકોનો મૂડ રાજ્ય સરકાર વિરુદ્ધ થઇ ગયો છે. જો ભ્રષ્ટાચાર પર નિયંત્રણ નહીં કરવામાં આવે તો ભાજપને લોકસભામાં ભારે નુકશાન વેઠવું પડી શકે છે.

જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટ

જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટ

ભાજપા વિધાયકે કહ્યું કે જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટ છે. તેમને એવો પણ આરોપ લગાવ્યો કે ડસ્ટબીન જેની કિંમત 200-300 રૂપિયા છે, તેને લગભગ 12,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. તેમને કહ્યું કે ગામમાં વીજળી કનેક્શન હોવા છતાં લોકોને વીજળીનું બિલ મોકલવામાં નથી આવતું. ત્યારપછી આખા જિલ્લામાં હડકંપ મચ્યો છે.

સરકાર અને જનતા સાથે છેતરપિંડી

સરકાર અને જનતા સાથે છેતરપિંડી

વિધાયકે આરોપ લગાવ્યો છે કે અધિકારી અને કર્મચારી ઠેકેદાર ભેગા મળીને સરકાર અને જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેમને અધિકારીઓ અને ઠેકેદારો સાથે મીલીભગત હોવાથી ટેન્ડરમાં પણ ઘોટાળાની વાત કહી. વિધાયકે પોતાની ફરિયાદમાં કેટલાક પુરાવા પણ રજુ કર્યા છે.

English summary
MLA Ajeet Kumar Yadav says BJP may face losses in 2019 polls due to corruption by officials
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X