''સાધુ-સંતો જ નક્કી કરશે PM પદનો ઉમેદવાર, હાફિઝ સઇદ નહી''

સૌથી પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયમસેવક સંઘ અલ્હાબાદ ખાતે મહાકુંભની મુલાકાત લેશે અને તેઓ પ્રધાનમંત્રીના નામ તરીકે મોદીના નામ પર મહોર લાગી શકે છે. ત્યારબાદથી જેડીયુ અને બીજેપીના નેતાઓમાં આરોપ પ્રત્યારોપના શરૂ થઇ ગયા હતા.
આ પહેલા જેડીયુના પ્રવક્તા શિવાનંદ તિવારીએ જણાવ્યું તે પ્રધાનમંત્રી પદ માટે ઉમ્મેદવાર કોણ હશે તે રાજનૈતિક દળ નક્કી કરશે, સાધુ-સંતો નહીં. ચૂંટણી પ્રચાર દરમિયાન કોને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવશે એ રાજનૈતિક પાર્ટીઓ નક્કી કરશે. આ અંગે સાધુ-સંતો કે અખાડાના નાગાઓ કેવી રીતે નિર્ણય કરી શકે? તેમણે સવાલ કર્યો કે આપ દેશની રાજનીતિ ક્યા લઇ જવા માંગો છો?
શિવાનંદ તિવારીના નિવેદન પર પલટવાર કરતા ઉપાધ્યક્ષ મુક્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે 'ભારત દેશમાં સાધુ-સંતોનું અલગ મહત્વ રહ્યું છે. અને તેમનો પણ દેશ પર બરાબર હક છે. જો સાધુ-સંતો-સુફી દેશના પ્રધાનમંત્રીની પસંદગી નહી કરે તો શું આતંકવાદી હાફિઝ સઇદ નક્કી કરશે?'
ઉલ્લેખનીય છે કે સાત જાન્યુઆરીના રોજ મહા કુભમાં સંઘ સમર્થિત સંતોની બેઠક મળનારી છે. જેમાં મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા માટે ચર્ચા થઇ શકે છે. સંત સમાજ ભાજપા પર મોદીના નામ પર મોહર લગાવવા દબાણ બનાવી શકે છે. વીએચપી નેતા અશોક સિંઘલે આ અંગે સંકેત આપ્યા છે.
જ્યારે બીજેપી નેતા કિર્તી આઝાદે જણાવ્યું કે જો મોદીના મુદ્દે ગઠબંધન તૂટ્યું તો બાદમાં જોયું જશે. તેમણે શિવાનંદ તિવારીના નિવેદન પર જણાવ્યું કે તે તેમનો વ્યક્તિગત માન્યતા હોઇ શકે છે. દરેક નેતાઓ પાર્ટી માટે કાર્ય કરે છે. અને પાર્ટીઓનું ગઠબંધન હજી છે અને જો તૂટી જશે તો કોઇ વાંધો નથી ત્યારનું ત્યારે વિચારીશું.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
