For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી PM બને, એ જનતાનો અવાજ છે: સિંઘલ

|
Google Oneindia Gujarati News

ashok singhal
કુંભનગર, 10 ફેબ્રુઆરી: વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદ માત્ર રામ મંદિર અને હિન્દુત્વના મુદ્દા પર હતી. સંતો દ્વારા તેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાની માગ કરવી જનભાવનાનો અવાજ હતો, વિહિપની નહી. આજે દેશનો દરેક વ્યક્તિ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા ઇચ્છે છે.

વિહિપ સંરક્ષક અશોક સિંઘલે શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમના જીવનમાં આ બીજી ઘટના છે, જેમાં જનતા પોતે કોઇ નેતાને પ્રધાનમંત્રી બનાવવા માટે ખુલીને બોલી રહી હોય. આ પહેલા જવાહર લાલ નેહરુને પ્રધાનમંત્રી બનાવવા માટે આવો જ અવાજ ઉઠ્યો હતો.

અફઝલ ગુરુને ફાંસી આપવાને તેમણે મોડેથી લેવામાં આવેલું પગલું ગણાવ્યું. પરંતુ તેનો શ્રેય કેન્દ્ર સરકારને બદલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપ્યું. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે પહેલા આમિર અજમલ કસાબ અને પછી અફજલ ગુરુને ફાસી આપવામાં મહત્વની ભૂમિકા અદા કરી. કોંગ્રેસનું ચાલતુ તો તે આ કેચને આગળ પણ લટકાવીને રાખતું. તેમણે જણાવ્યું કે કુંભ ક્ષેત્રમાં બૌદ્ધ ધર્મગુરુ દલાઇલામા 16 ફેબ્રુઆરીના રોજ આવી રહ્યા છે.

English summary
Narendra modi become PM is people's voice, says ashok singhal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X