વડાપ્રધાને સિરિસેનાને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું

નવી દિલ્હી, 9 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલી જીત પર મૈત્રિપાલા સિરિસેનાને પત્ર લખીને શુભેચ્છા આપી અને ભારત આવવા માટે નિમંત્રણ પાઠવી દીધું.

વડાપ્રધાને પોતાના પત્રમાં લખ્યું છે કે 'આપની ઐતિહાસિક જીત શ્રીલંકાને લઇને આપના દ્રષ્ટિકોણ અને પરિવર્તન ઇચ્છનારી જનતાની સાથે જોડાવાની આપની ક્ષમતાને દર્શાવે છે. હું અમારી જનતા અને અમારા વિસ્તારના લાભ માટે આપણા સંબંધને નવી ઊંચાઇ સુધી લઇ જવા માટે આપની સાતે કામ કરવા માટે ઉત્સુક છું.'

narendra modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'હું શાંતિપૂર્ણ અને સમૃદ્ધ શ્રીલંકાની સ્થાપના અને પ્રભાવી અને વાસ્તવિકરણના આધારને તૈયાર કરવામાં આપની સફળતાની કામના કરૂં છું. વડાપ્રધાને સિરિસેનાને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું અને જણાવ્યું કે તેઓ અત્રે તેમનું સ્વાગત કરશે.'

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું કે 'મેં મૈત્રિપાલા સિરિસેના સાથે ફોન પર વાત કરી અને તેમને જીત માટે શુભેચ્છા પાઠવી છે. હું પરિવર્તન ઇચ્છનારી શ્રીલંકાની જનતાને પણ અભિનંદન આપું છું.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X