વડાપ્રધાને સિરિસેનાને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું
નવી દિલ્હી, 9 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલી જીત પર મૈત્રિપાલા સિરિસેનાને પત્ર લખીને શુભેચ્છા આપી અને ભારત આવવા માટે નિમંત્રણ પાઠવી દીધું.
વડાપ્રધાને પોતાના પત્રમાં લખ્યું છે કે 'આપની ઐતિહાસિક જીત શ્રીલંકાને લઇને આપના દ્રષ્ટિકોણ અને પરિવર્તન ઇચ્છનારી જનતાની સાથે જોડાવાની આપની ક્ષમતાને દર્શાવે છે. હું અમારી જનતા અને અમારા વિસ્તારના લાભ માટે આપણા સંબંધને નવી ઊંચાઇ સુધી લઇ જવા માટે આપની સાતે કામ કરવા માટે ઉત્સુક છું.'
I
spoke
to
Shri
Maithripala
Sirisena
&
congratulated
him.
I
congratulate
the
people
of
Sri
Lanka
on
the
peaceful
&
democratic
poll
process.
—
Narendra
Modi
(@narendramodi)
January
9,
2015
અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું કે 'મેં મૈત્રિપાલા સિરિસેના સાથે ફોન પર વાત કરી અને તેમને જીત માટે શુભેચ્છા પાઠવી છે. હું પરિવર્તન ઇચ્છનારી શ્રીલંકાની જનતાને પણ અભિનંદન આપું છું.'
As
a
close
friend
&
neighbour,
reaffirmed
India's
continued
solidarity
&
support
for
Sri
Lanka's
peace,
development
&
prosperity.
—
Narendra
Modi
(@narendramodi)
January
9,
2015