મદ્રાસમાં વિદ્યાર્થીઓના વિરોધની વચ્ચે આજે લેક્ચર આપશે મોદી
નવી દિલ્હી, 18 ઓક્ટોબર: બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મદ્રાસ યુનિવર્સિટીમાં લેક્ચર આપવાના છે. મદ્રાસ યુનિવર્સિટીમાં મોદીની સુરક્ષાના નામે થઇ રહેલી સખતાઇના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાઇ આવ્યા છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
મોદીની સુરક્ષાના નામ પર પોલીસ દ્વારા હેરાન કરવાનો આરોપ લગાવનાર વિદ્યાર્થીઓએ કાર્યક્રમની પરવાનગી આપવાના વિરોધમાં નારેબાજી કરવામાં આવી. મોદી અત્રે મદ્રાસ યુનિવર્સિટીના સેંટેનરી ઓડિટોરિયમમાં 'નની પાલખીવાલા સ્મારક 2013' પર વ્યાખ્યાન આપવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વનઇન્ડિયા ગુજરાતી પર નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાંજે 6 વાગે બતાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
