Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદી સરકારે માંગ્યા NDMAના તમામ સભ્યોના રાજીનામા

modi
નવી દિલ્હી, 19 જૂન: દેશની સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ હવે મહત્વપૂર્ણ વિભાગો અને હોદ્દાઓમાં નવેસરથી નિમણૂંકો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. આના માટે જૂના અધિકારીઓના રાજીનામા લેવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં નેશનલ ડિજાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમએના સભ્યો પાસે રાજીનામા માગવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન હોવાના પગલે નરેન્દ્ર મોદી એનડીએમએના ચેરમેન બને છે. પીએમઓએ તમામ એનડીએમએ સભ્યોના રાજીનામા માગ્યા છે. ગૃહ સચિવે ગઇકાલે એનડીએમએ સભ્યોને ફોન કરીને તેમના રાજીનામા આપવા જણાવ્યું હતું.

એનડીએમએમાં કુલ 8 સભ્ય અને એક વાઇસ ચેરમેન છે. વાઇસ ચેરમેન શશિધર રેડ્ડી અને સભ્ય કેએમ સિંહ, બી ભટ્ટાચાર્ય, જેકે સિન્હા, મુઝફ્ફર અહમદ, મેજર જનરલ જેકે બંસલ, હર્ષ કે ગુપ્તા, કે એન શ્રીવાસ્તવ અને કે સલીમ અલી છે.

સલીમ અલી હાલમાં જ તેના સભ્ય બનાવાયા હતા. 1978 બેચના આઇપીએસ ઓફીસર સલીમ સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રહી ચૂક્યા છે જેમણે ઇશરત જહાં નકલી એનકાઉન્ટર કેસની તપાસ કરી હતી. એનડીએમએ સભ્યોનું કહેવું છે કે અમે સરકારને પત્ર મોકલીને પોતાના પક્ષથી તેમને અવગત કરાવી રહ્યા છીએ. જો સરકાર અડગ રહેશે તો અમે રાજીનામુ આપી દઇશું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X