ચિદમ્બરમે આપી સફાઇ, નરેન્દ્ર મોદી મારો અવાજ દબાવવા માંગે છે
"હું સરકારની નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવું છું, આથી સરકાર મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે." - પી.ચિદમ્બરમ
ભૂતપૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમે પોતાના ઘર તથા 16 ઠેકાણે પડેલ સીબીઆઇના છાપા બાદ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ છાપાની કાર્યવાહી બાદ ચિદમ્બરમે પોતાનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેણે નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે કે, તેઓ ચિદમ્બરમનો અવાજ દબાવી દેવા માંગે છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, INX મીડિયાના વિદેશી રોકાણની અનુમતિમાં સરકારી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે.

શું છે આરોપ?
ઉલ્લેખનીય છે કે, એક વિદેશી મીડિયા કંપની(INX)ને વિદેશી રોકાણની અનુમતિ આપવાના બદલામાં પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે લાંચ લીધી હોવાનો આરોપ છે. આ કેસને મામલે જ મંગળવારે સવારે પી.ચિદમ્બરમના નિવાસ સ્થાન તથા તેમની સાથે સંબંધિત 16 ઠેકાણે સીબીઆઇ દ્વારા છાપા મારવામાં આવ્યા હતા. સીબીઆઇ દ્વારા સોમવારે આ મામલે એફઆઇઆર નોંધાવવામાં આવી હતી.
ચિદમ્બરમનું નિવેદન
"હજારો મામલે FIPBની મંજૂરી આપવામાં આવી હતી, આ મંજૂરીઓ FIPB બોર્ડના પાંચ સચિવો દ્વારા આપવામાં આવી હતી. આ મામલે મારી પર કોઇ આરોપ છે જ નહીં. દરેક મામલે કાયદાકીય રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર મને અને મારા પુત્રને નિશાના પર લેવા માટે સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે. હું સરકારની નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવું છું, આથી સરકાર મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. વિપક્ષના નેતાઓ, પત્રકારો, સ્તંભકારો, એનજીઓ, સિવિલ સોસાઇટીના એવા લોકો જે સરકારની નીતિઓ અંગે સવાલ કરે છે, તેમને સરકાર ઘેરવા માંગે છે. હું કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશ."
{promotion-urls}
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
