''ઇંદિરા ગાંધી જેવા છે વડાપ્રધાન મોદી, રાહુલમાં નથી નેતાના ગુણ''
નવી દિલ્હી, 4 નવેમ્બર: વરિષ્ઠ ટીવી પત્રકાર રાજદીપ સરદેસાઇએ પોતાના એક પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિવંગત વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથે સરખાવ્યા છે. તેમણે પોતાના પુસ્તક "2014 The Election That Changed India"માં લખ્યું છે કે મોદી અને ઇંદિરા ગાંધીમાં લીડરશિપને જોતા એક જેવી સમાનતાઓ છે. પરંતુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીમાં લીડરશીપ જેવી કોઇ ક્વોલિટી નથી. આ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે જે રીતે ઇંદિરા ગાંધીની કેબિનેટમાં તેમના સહયોગી વડાપ્રધાનથી ડરતા હતા તેવી જ રીતે વડાપ્રધાનના કેબિનેટના મંત્રીઓ પણ હાલના વડાપ્રધાન મોદીથી ડરે છે.



રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા સરદેસાઇએ લખ્યું છે કે નેહરૂ ગાંધી પરિવારના તેઓ પહેલા એવા શખ્શ છે જેમની પાર્ટીમાં કોઇ પકડ નથી. તેમના નેતૃત્વમાં કોંગ્રેસને આ લોકસભા ચૂંટણીમાં કરારી હારનો સામનો કરવો પડ્યો.













Click it and Unblock the Notifications
