દિગ્વિજય સિંહે કહ્યું, 'નરેન્દ્ર મોદી સમજદાર થઇ ગયા!'
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રી બનવાના સપનાને લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતા લાલ કૃષ્ણ અડવાણી પર નિશાનો સાધ્યો છે. મોદીના એક નિવેદન કે તેઓ પ્રધાનમંત્રી બનવાનું સપનું નથી જોતાં, તેના માટે દિગ્વિજય સિંહે ટ્વિટર પર કટાક્ષી પ્રશ્ન કર્યો છે કે 'શું તેમણે અડવાણી પાસેથી શીખ મેળવી છે?'
તેમણે ટ્વિટર પર મોદીને સંબોધિત કરતા લખ્યું કે જે પ્રધાનમંત્રી બનવાના સપના જુએ છે તે બર્બાદ થઇ જાય છે, પછી તેમણે સવાલિયા અંદાજમાં જણાવ્યું કે તેમણે આ શીખ અડવાણી પાસેથી મેળવી છે જેઓ સ્થાયી રીતે 'પીએમ ઇન વેઇટિંગ' બની ગયા છે.
Modi-Those who dream to become PM are biggest losers( HOTE HEIN BARBAD).Has he learnt his lesson from Advani ji permanent PM in waiting ?
— digvijaya singh (@digvijaya_28) September 6, 2013
Or he is seeing the writing on the wall? There is a saying in Gujarat "LEBA GAYA HAVELI KHO DIYO AHEMDABAD" Looks like Modi has become wiser
— digvijaya singh (@digvijaya_28) September 6, 2013
તેમણે એક ટ્વિટમાં જાણાવ્યું 'લાગે છે કે મોદી સમજદાર થઇ ગયા છે અથવા તો તેમને વાસ્તવિકતા સમજાઇ ગઇ છે. સિંહે જણાવ્યું કે ગુજરાતમાં એક કહેવત છે કે 'લેવા ગયા હવેલી અને ગુમાવી બેઠા અમદાવાદ..''