Modi Sarkar 3.0 : નીતિશ કુમારે માંગ્યા ત્રણ મંત્રાલયો, શું માની જશે મોદી?
Modi Sarkar 3.0 : દેશમાં ફરી એકવાર NDA સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં NDA ને 293 અને ઈન્ડિયા એલાયન્સને 234 સીટો મળી હતી.
નીતિશ કુમાર એનડીએના સહયોગી જેડીયુના નેતા છે. તેમણે બિહારમાં 12 બેઠકો જીતી છે. આ સંદર્ભમાં એનડીએ માટે તેમની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેડીયુના સૂત્રોના હવાલાથી સમાચાર છે કે, નીતીશ કુમારે ત્રણ મંત્રાલયોની માંગ કરી છે.
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની સાથે તેમણે ચાર સાંસદો માટે એક મંત્રાલયની ફોર્મ્યુલા સરકારની સામે રાખી છે. વાસ્તવમાં, 12 સાંસદ JDUના છે, તેથી તેને 3 મંત્રાલય જોઈએ છે.
સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ નીતીશ કુમારને રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જોઈએ છે. જ્યારે રેલવે મંત્રાલય તેમની પ્રાથમિકતા પર છે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં નીતીશ કુમારે 16 અને ભાજપે 17 સીટો પર ચૂંટણી લડી હતી. નીતીશની જેડીયુ અને ભાજપે 12-12 બેઠકો પર સમાન સંખ્યામાં જીત મેળવી છે. જ્યાં ભાજપે લોકસભા ચૂંટણીમાં 240 બેઠકો જીતી છે, આ સંદર્ભમાં તે બહુમતીથી દૂર છે.
આવી સ્થિતિમાં 12 બેઠકો જીતનાર નીતિશ કુમાર અને 16 બેઠકો જીતનાર ચંદ્રબાબુ નાયડુ એનડીએ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી સરકારે બંને પર ઘણું ધ્યાન આપવું પડશે.
બંને સાથીદારોને નારાજ કરવા યોગ્ય નથી. આવી સ્થિતિમાં સૂત્રોના હવાલાથી નીતિશ કુમારની માંગ સામે આવી છે. તેમને મોદી 3.0 સરકારમાં ત્રણ મંત્રાલય જોઈએ છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી











Click it and Unblock the Notifications
