'સોશિયલ મીડિયા થકી મોદીના કોંગ્રેસ પર પ્રહાર'

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં દિગ્વિજય સિંહે આવો દાવો કર્યો છે. દિગ્વિજયે કરેલા દાવામાં કહ્યું છે કે મોદીએ એક સંસ્થા બનાવી રાખી છે, જ્યાં પૈસા આપીને કેટલાક પ્રોફેશનલ્સ નિયુક્ત કરવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા થકી કોંગ્રેસ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના મત અનુસાર, નરેન્દ્ર મોદીએ સંસ્કાર કેન્દ્ર નામે સંસ્થા બનાવી છે. જ્યાં કેટલાક પ્રોફેશનલ્સ બેસેલા છે જે 24x7 ટ્રેકિંગ કરે છે અને જેવું ભાજપ કે મોદી વિરુદ્ધ કોઇ કંઇ બોલ્યું ત્યારે એક કેમ્પેન આઉટબ્રસ્ટ સામે આવે છે, અમારી પાસે પુરાવા છે.
દિગ્વિજયનું કહેવું છે કે આવું કોંગ્રેસને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ તરફથી જવાબ મળ્યા બાદ તેમને શાંત થઇ જવું પડે છે. નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાનો ઘણો ઉપયોગ કરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેને મહત્વ આપવામાં આવ્યું હતું. મોદીએ તેના થકી સમાજના મધ્યમ વર્ગને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે.
કોંગ્રેસની નજર પણ હવે મિડલ ક્લાસ પર છે. જયપુરની ચિંતન શિબિરમાં તે અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગ પર ધ્યાન આપવાની જરૂર છે. દિગ્વિજય સિંહે જણાવ્યા પ્રમાણે પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ હવે સોશિયલ મીડિયા પર ધ્યાન આપશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
