મહારાષ્ટ્ર ચૂંટણી: NCPના ગઢમાં નરેન્દ્ર મોદીની લલકાર

વડાપ્રધાન પહેલી વાર કોલ્હાપુરમાં સભાને સંબોધિત કરશે. ત્યારબાદ ગોંદિયા, સાંગલી અને નાસિક પણ જશે. આ વિસ્તારોમાં રાષ્ટ્રવાદી પાર્ટીની સારી એવી પકડ છે.
આ પહેલા લોકસભા ચૂંટણી દરમિયાન પણ નરેન્દ્ર મોદીએ આ વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર નથી કર્યું. એવામાં એ જોવું પડશે કે શું નરેન્દ્ર મોદી આ વિસ્તારોમાં થનારી રેલિયોમાં પોતાનો જાદુ ચલાવી શકશે.
અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીએ હજી સુધી દ્વિપક્ષી પાર્ટીઓ પ્રત્યે ખુલીને તીખા વાર નથી કર્યા. જોકે નરેન્દ્ર મોદીએ શનિવાર મહારાષ્ટ્રમાં બિનહરીફ રીતે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા રહ્યા અને મહારાષ્ટ્રને કોંગ્રેસમુક્ત બનાવવાનું આહ્વાન પણ કર્યું.
એવું અનુમાન લગાવી શકાય કે નરેન્દ્ર મોદી આજે યોજાનારી ચાર રેલીઓમાં કોંગ્રેસ અને એનસીપી બંને પાર્ટીઓ પર સીધા પ્રહારો કરે.












Click it and Unblock the Notifications
